મુંબઈના કુર્લામાં પ્રસૂતાને ઝોળીમાં લઈ જવાઈ
મુંબઈના કુર્લામાં પ્રસૂતાને ઝોળીમાં લઈ જવાઈ
Published on: 12th September, 2026

મુંબઈના કુર્લામાં એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં અંજલી પવાર નામની સગર્ભા મહિલાને ઘરે પ્રસૂતિ બાદ તબિયત લથડતાં ૧૦૮ એમ્બ્યુલન્સ માટે લાંબી રાહ જોવી પડી. એમ્બ્યુલન્સ ન મળતાં પરિવારજનોએ ચાદરની ઝોળી બનાવી પ્રસૂતાને ૩૦૦ મીટર દૂર આવેલી મેટરનીટી હોસ્પિટલમાં લઈ જવી પડી. આ ઘટનાએ મુંબઈની ઝડપી આરોગ્ય સેવાના દાવાઓ પર પ્રશ્નાર્થ સર્જ્યો છે. મુંબઈ મહાનગર પાલિકાના આરોગ્ય સમિતિના અધ્યક્ષે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.