21 કિમીની પંચકોશી પરિક્રમામાં 6 લાખ શ્રદ્ધાળુઓ.
21 કિમીની પંચકોશી પરિક્રમામાં 6 લાખ શ્રદ્ધાળુઓ.
Published on: 07th April, 2026

નર્મદા જિલ્લામાં ચાલી રહેલી પંચકોશી પરિક્રમામાં ભક્તોની સંખ્યા વધી રહી છે. 19મીથી શરૂ થયેલી પરિક્રમામાં અત્યાર સુધીમાં 6 લાખ જેટલા શ્રદ્ધાળુઓ નોંધાયા છે. છેલ્લા 17 દિવસથી ચાલી રહેલી આ પરિક્રમામાં ભક્તોની ભીડ વધી રહી છે, જેમાં ખાસ કરીને શનિ-રવિની રજાઓમાં 1.35 લાખ ભક્તો નોંધાયા છે. Registration ફરજિયાત બનાવ્યા બાદ કુલ પરિક્રમાવાસીઓની સંખ્યા 6 લાખને પાર કરી ગઈ છે. હજુ 13 દિવસ બાકી છે, ત્યારે આ આંકડો 10 લાખ સુધી પહોંચે તેવી શક્યતા છે.