સાઠંબાના બાદરપુરામાં પુલ માટે ચૂંટણી બહિષ્કાર, "પુલ નહીં તો વોટ નહીં"નું એલાન.
સાઠંબાના બાદરપુરામાં પુલ માટે ચૂંટણી બહિષ્કાર, "પુલ નહીં તો વોટ નહીં"નું એલાન.
Published on: 07th April, 2026

સાઠંબાના બાદરપુરા ગામના રહીશોએ ગાબટ જવાના રસ્તે "વાંઘા" પર પુલ બનાવવા માટે ચૂંટણી બહિષ્કારનું એલાન આપ્યું છે. ગ્રામજનો "પુલ નહીં તો વોટ નહીં" ના નારા સાથે રજૂઆત કરી રહ્યા છે. ચોમાસામાં "વાંઘા" પાણીથી ભરાઈ જાય છે, જેના કારણે ૧૦થી વધુ ગામો સંપર્ક વિહોણા થઈ જાય છે. તંત્રએ વાત ધ્યાને ન લેતા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.