સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા આમ આદમી પાર્ટીમાં જોડાયા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા આમ આદમી પાર્ટીમાં જોડાયા.
Published on: 07th April, 2026

ક્ષત્રિય આંદોલન દરમિયાન સક્રિય ભૂમિકા ભજવીને ચર્ચામાં આવેલા પદ્મિનીબા વાળા આજે(7 એપ્રિલ) AAPમાં જોડાયા છે. રાજકોટ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની હાજરીમાં તેમણે આપનો કેસ ધારણ કર્યો હતો. પદ્મિનીબા વાળાએ પોતાના આ નિર્ણય પાછળનું કારણ સ્પષ્ટ કરતા જણાવ્યું કે, તેઓ જનતાની સેવા કરવા અને અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે આ મંચ પર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય આંદોલન વખતે પદ્મિનીબાએ જે રીતે સરકાર સામે બાથ ભીડી હતી, તેનાથી તેઓ સમગ્ર ગુજરાતમાં ચર્ચામાં આવ્યા હતા.