સુરતમાં પાણી પ્રશ્ને ભાજપ કોર્પોરેટર પર સ્થાનિકોનો રોષ, ચૂંટણી ટાણે ગાયબ?
સુરતના કાપોદ્રા વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર અછત સર્જાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. વોર્ડ નંબર 4ના ભાજપના મહિલા કોર્પોરેટર હંસા ગજેરાને લોકોએ ઘેરી લઈ પ્રશ્નો પૂછ્યા કે ચૂંટણી વખતે દેખાતા હતા, હવે ક્યાં ગયા? પાણી માટે કલાકો રાહ જોવી પડે છે તેવી રજૂઆત બાદ કોર્પોરેટરે શાંતિ રાખવાની અપીલ કરતા મામલો વધુ ગરમાયો. તેમની લાચાર અને કટાક્ષભરી પ્રતિક્રિયાએ ઘટનાને વધુ નાટકીય વળાંક આપ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
સુરતમાં પાણી પ્રશ્ને ભાજપ કોર્પોરેટર પર સ્થાનિકોનો રોષ, ચૂંટણી ટાણે ગાયબ?
અંકિત શર્મા હત્યા કેસ: કોર્ટ ચુકાદા બાદ AAP પર BJPના ગંભીર પ્રહાર
વર્ષ 2020ના દિલ્હી રમખાણો દરમિયાન IB અધિકારી અંકિત શર્માની હત્યાના કેસમાં AAP ના પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈન સહિત પાંચ આરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યા છે. આ ચુકાદા બાદ ભાજપે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર અત્યંત ગંભીર આરોપો લગાવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ જણાવ્યું કે, તાહિર હુસૈનને અરવિંદ કેજરીવાલનું રાજકીય સંરક્ષણ પ્રાપ્ત હતું અને કેજરીવાલ જ તાહિર હુસૈનના અસલી આકા છે. તેમણે કેજરીવાલને આ હત્યાકાંડના સહ-આરોપી ગણાવ્યા. કોર્ટે જણાવ્યું કે, અંકિત શર્માની હત્યા માત્ર હિન્દુ હોવાને કારણે કરવામાં આવી હતી.
અંકિત શર્મા હત્યા કેસ: કોર્ટ ચુકાદા બાદ AAP પર BJPના ગંભીર પ્રહાર
રિક્ષાને દારૂનો અડ્ડો બનાવનાર બુટલેગર વીડિયો વાયરલ થતાં અમદાવાદ પોલીસ 'ભાન'માં આવી
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રોડની કિનારે રિક્ષામાં બેફામ દારૂનું વેચાણ કરનાર બુટલેગરનો વીડિયો વાયરલ થતાં સ્થાનિક પોલીસ સફાળી જાગી છે. આ ઘટનાએ પોલીસની કામગીરી અને નિષ્ઠા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. ચોવીસ કલાક પેટ્રોલિંગના દાવા કરતી પોલીસને આ ખુલ્લેઆમ વેચાણની ભણક કેમ ન લાગી? ઉચ્ચ અધિકારીઓના દબાણ બાદ પોલીસે 33 વર્ષીય પ્રતાપભાઈ ગોપાલભાઈ સોનીને રિક્ષા અને દારૂ સાથે ઝડપી પાડ્યો. આ કાર્યવાહી સ્વયંભૂ થવાને બદલે 'ઉપરથી દબાણ' બાદ કેમ થઈ તે ચર્ચાનો વિષય બન્યો છે.
રિક્ષાને દારૂનો અડ્ડો બનાવનાર બુટલેગર વીડિયો વાયરલ થતાં અમદાવાદ પોલીસ 'ભાન'માં આવી
ગુજરાતના આ 11 જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી 3 કલાક માટે નાઉ કાસ્ટ જાહેર કરતાં ગુજરાતના 11 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. દાહોદ, પંચમહાલ, મહીસાગર, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, મોરબી અને જામનગરમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, સાથે પવનની ગતિમાં પણ વધારો થવાની શક્યતા છે. લોકોને સાવચેતી રાખવાની અને વીજળી પડે ત્યારે સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ અપાઈ છે.
ગુજરાતના આ 11 જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
મોરબીમાં વીજલાઈન વળતર મુદ્દે 25000 ખેડૂતોની પદયાત્રા
મોરબી જિલ્લામાં વીજલાઈન વળતર મુદ્દે ખેડૂતોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. 'સત્યાગ્રહ પાર્ટ-3' અંતર્ગત, 365 ગામ પંચાયતોના 25,000 થી વધુ ખેડૂતો અને મહિલાઓએ મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી વિશાળ પદયાત્રા યોજી સરકારના નવા પરિપત્રનો વિરોધ કર્યો. ખેડૂતોની મુખ્ય માંગણી છે કે ટ્રાન્સમિશન લાઈનોના વળતર અંગે ઈલેક્ટ્રિસિટી એક્ટ 2003 અને ટેલિગ્રાફ એક્ટ 1885ની જોગવાઈઓ હેઠળ 'ઓછામાં ઓછું નુકસાન અને પૂરેપૂરું વળતર'ના સિદ્ધાંત મુજબ ઠરાવમાં સુધારા કરવામાં આવે. જ્યાં સુધી આ સુધારા નહીં થાય ત્યાં સુધી નવા ઠરાવનો અમલ ન કરવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
મોરબીમાં વીજલાઈન વળતર મુદ્દે 25000 ખેડૂતોની પદયાત્રા
ચારા કૌભાંડ: લાલુ યાદવની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
ચારા કૌભાંડ કેસમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમની જામીન રદ કરવાની અરજી ફગાવી દીધી છે, જેના પગલે તેમના જામીન યથાવત્ રહેશે. 2018માં દોષિત ઠેરવાયા બાદ હાઇકોર્ટમાં પેન્ડિંગ અપીલને કારણે 2021માં તેમને જામીન મળ્યા હતા. ED ની માંગણી ફગાવી સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે લાંબા સમયથી ચાલી રહેલા જામીન મામલે હવે દખલગીરી યોગ્ય નથી. આ સાથે, હાઇકોર્ટને 6 મહિનામાં અપીલ પર સુનાવણી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે.
ચારા કૌભાંડ: લાલુ યાદવની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
સેન્ટ્રલ યુનિવર્સિટીમાં હેલ્થ, સ્પોર્ટ્સ અને હોસ્ટેલ સુવિધા વધારવા વિદ્યાર્થીઓનું પ્રદર્શન.
વડોદરા નજીક કુંઢેલા સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટીમાં હેલ્થ સેન્ટર-સ્પોર્ટ્સની સુવિધા વધારવા અને હોસ્ટેલમાં સાફ-સફાઈની માગણી સાથે વિદ્યાર્થીઓ સોમવાર રાતથી ધરણા પર બેઠા હતા. આજે સવારે તેમણે યુનિવર્સિટીનો મુખ્ય ગેટ બંધ રાખતા બહારથી આવતા વિદ્યાર્થીઓ અને અધ્યાપકો અટવાયા હતા. પ્રોવોસ્ટ અને અધ્યાપકોની દરમિયાનગીરી વખતે ધક્કામુક્કી અને ઝપાઝપી થઈ હતી. એબીવીપીના જણાવ્યા મુજબ, આ ઘટનામાં બે વિદ્યાર્થીઓને ઈજા પણ થઈ હતી. વારંવાર રજૂઆત છતાં સમસ્યાઓનો ઉકેલ ન આવતા વિદ્યાર્થીઓએ ધરણાનું શસ્ત્ર ઉઠાવ્યું.
સેન્ટ્રલ યુનિવર્સિટીમાં હેલ્થ, સ્પોર્ટ્સ અને હોસ્ટેલ સુવિધા વધારવા વિદ્યાર્થીઓનું પ્રદર્શન.
MSU માં ABVP અને NSUIના નેતાઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી
વડોદરા MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં આજે ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે છુટા અને મારામારી થતા દોડધામ મચી ગઈ હતી. વિધાર્થી આલમમાં ચાલતી ચર્ચા પ્રમાણે સાયન્સ ફેકલ્ટીમાં NSUI અને ABVPના બે જૂથ વચ્ચે પહેલેથી અદાવત છે. આજે એકબીજાની સામે જોવાની નજીવી બાબતમાં બે જૂથના નેતાઓ આમને સામને આવી ગયા હતા. જોતજોતામાં બંને જૂથ વચ્ચે મારામારી શરૂ થઈ જતા ફેકલ્ટીમાં દોડધામ મચી ગઈ હતી. અન્ય વિદ્યાર્થીઓએ તેમને છૂટા પાડ્યા હતા. જોકે રાબેતા મુજબ સિક્યુરિટી ગાયબ હતી.
MSU માં ABVP અને NSUIના નેતાઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી
અમદાવાદ રથયાત્રા: 35 ડ્રોન અને GPS થી ત્રણેય રથનું લાઈવ મોનિટરિંગ
અમદાવાદમાં 16મી જુલાઈના રોજ યોજાનારી 149મી જગન્નાથજી રથયાત્રા માટે સુરક્ષાના અભેદ્ય કવચની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વર્ષે, સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થશે. ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામના રથ ખેંચનારા ખલાસીઓનું 'આધાર ઇનેબલ એપ' દ્વારા વેરિફિકેશન કરીને બારકોડવાળા ઓળખપત્ર આપવામાં આવશે. 35 ડ્રોન અને GPS સિસ્ટમ દ્વારા ત્રણેય રથોનું લાઈવ મોનિટરિંગ થશે. સાથે જ, પુશીંગ સ્ક્વોર્ડ દ્વારા રથની આસપાસ સુરક્ષા કોર્ડનિંગ કરાશે અને ઉચ્ચ અધિકારીઓની આગેવાનીમાં પોલીસ કાફલો સતત રથ સાથે રહેશે.
અમદાવાદ રથયાત્રા: 35 ડ્રોન અને GPS થી ત્રણેય રથનું લાઈવ મોનિટરિંગ
ઝીનત અમાનની સોનમ વાંગચુક માટે સરકારને વિનંતી
બોલિવૂડ અભિનેત્રી ઝીનત અમાન લદાખના પર્યાવરણ અને લોકોના અધિકારો માટે ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકના સમર્થનમાં આગળ આવી છે. '3 ઈડિયટ્સ' ફેમ ઓમી વૈદ્ય બાદ ઝીનત અમાને પણ સોનમ વાંગચુકની લડતને ટેકો આપ્યો છે. તેમણે કેન્દ્ર સરકારને મધ્યસ્થી કરવા અને વાતચીત શરૂ કરવા વિનંતી કરી છે. ઝીનત અમાનના જણાવ્યા મુજબ, સોનમ વાંગચુક દેશના ભવિષ્ય માટે લડી રહ્યા છે અને તેમનું સ્વાસ્થ્ય ચિંતાજનક રીતે બગડી રહ્યું છે. આ કોઈ રાજકીય લડાઈ નથી, પરંતુ કુદરતી સંસાધનો અને માનવીય અધિકારોની રક્ષાનો મામલો છે.
ઝીનત અમાનની સોનમ વાંગચુક માટે સરકારને વિનંતી
સોનમ વાંગચુકનું વજન 8 કિલો ઘટ્યું, કેજરીવાલ-અખિલેશની ઉપવાસ તોડવાની અપીલ
દિલ્હીના જંતર-મંતર ખાતે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે ચાલી રહેલી ભૂખ હડતાલમાં સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકનું 16 દિવસમાં 8 કિલો વજન ઘટતાં વિપક્ષી નેતાઓ ચિંતિત છે. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે વાંગચુકને અનશન સમાપ્ત કરવાની અપીલ કરી છે અને પરીક્ષા પ્રણાલીમાં સુધારાની માંગને સમર્થન આપ્યું છે. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે પણ વાંગચુકને ઉપવાસ તોડવા વિનંતી કરી ભાજપ સરકારની સંવેદનહીનતા પર પ્રહારો કર્યા છે. વાંગચુકે આ મુદ્દાને દેશનો વિષય ગણાવી તમામ નેતાઓને સાથે આવવા આહ્વાન કર્યું છે.
સોનમ વાંગચુકનું વજન 8 કિલો ઘટ્યું, કેજરીવાલ-અખિલેશની ઉપવાસ તોડવાની અપીલ
સૌરાષ્ટ્ર-કચ્છને ઘરઆંગણે ન્યાય: હાઇકોર્ટ બેંચ માટે વકીલોનું મહાઆંદોલન
સૌરાષ્ટ્ર અને કચ્છના લાખો પક્ષકારોને ઝડપી અને સસ્તો ન્યાય મળે તે માટે રાજકોટ ખાતે ગુજરાત હાઇકોર્ટની બેંચ સ્થાપવા વકીલોએ ફરી એકવાર આંદોલનનું રણશિંગુ ફુક્યું છે. આ મામલે આગામી 25મી તારીખે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ બાર એસોસિએશનના પ્રતિનિધિઓની મહાબેઠકનું આયોજન કરાયું છે. જેમાં આગામી આંદોલનની વ્યૂહરચના નક્કી કરવામાં આવશે. રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા અને સેક્રેટરી નિલેશ પટેલે જણાવ્યું કે, રાજકોટમાં હાઇકોર્ટ બેંચ કાર્યરત થાય તો કચ્છ, પોરબંદર જેવા અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા પક્ષકારોનો સમય, શક્તિ અને નાણાંનો વ્યય થતો અટકશે.
સૌરાષ્ટ્ર-કચ્છને ઘરઆંગણે ન્યાય: હાઇકોર્ટ બેંચ માટે વકીલોનું મહાઆંદોલન
બે ગેરકાયદે પિસ્ટલ સાથે રાજકોટના કેફેના માલિકની ધરપકડ
રાજકોટ શહેર PCB ટીમે ગેરકાયદેસર હથિયારોના મોટા વેપારનો પર્દાફાશ કર્યો છે. મધ્યપ્રદેશના સપ્લાયર સકીલ મનસુરી સહિત પાંચ શખ્સોની ધરપકડ બાદ, ન્યારી ડેમ નજીક વેનીલા કેફેના માલિક સંદીપસિંહ પરમારની બે ગેરકાયદે પિસ્ટલ સાથે ધરપકડ કરવામાં આવી છે. સપ્લાયરે આ હથિયારો પ્રદીપ કરપડાને એક-એક લાખ રૂપિયામાં વેચ્યા હતા, જેણે બાદમાં સંદીપસિંહને રોફ જમાવવા માટે વેચ્યા હતા. આ ઘટના રથયાત્રા અને અષાઢી બીજ પહેલા કાયદો અને વ્યવસ્થા જાળવવાના પોલીસના પ્રયાસો હેઠળ બની છે.
બે ગેરકાયદે પિસ્ટલ સાથે રાજકોટના કેફેના માલિકની ધરપકડ
પૂર્વ ગૃહ મંત્રાલય અધિકારીનો ખુલાસો: શોએબ અખ્તર અને આસિફ ડ્રગ્સ સાથે આવતા હતા
ભારત સરકારના ગૃહ મંત્રાલયના પૂર્વ અંડર સેક્રેટરી આરવીએસ મણિએ પાકિસ્તાની ક્રિકેટ ડેલિગેશનને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફ જેવા ખેલાડીઓ તથા અન્ય પાકિસ્તાની ડેલિગેશન ભારતમાં પ્રવેશ કરતી વખતે ડ્રગ્સનો જથ્થો લાવતા હતા. આ ડ્રગ્સ ટ્રાફિકિંગમાં ISIનો પણ હાથ હોવાનું તેમણે જણાવ્યું. આતંકવાદના ફંડિંગનો 30% હિસ્સો ડ્રગ્સ ટ્રાફિકિંગમાંથી આવતો હોવાનું પણ તેમણે કહ્યું. તેમણે કહ્યું કે આ અંગત વપરાશ માટે નહોતું, પરંતુ ડ્રગ્સ ટ્રાફિકિંગ એક સરકારી નીતિ હતી.
પૂર્વ ગૃહ મંત્રાલય અધિકારીનો ખુલાસો: શોએબ અખ્તર અને આસિફ ડ્રગ્સ સાથે આવતા હતા
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ‘નાઇ યુવા ગ્રુપ’ દ્વારા શરબત વિતરણની સેવા
અષાઢી બીજના પવિત્ર અવસરે રાજકોટ શહેરમાં ભવ્ય જગન્નાથજી રથયાત્રા યોજાશે, જેમાં ‘નાઇ યુવા ગ્રુપ’ દ્વારા શરબત વિતરણની સેવા આપવામાં આવશે. હજારો ભક્તો અને આમ જનતાને ગરમીમાં રાહત મળે તે માટે ત્રિકોણ બાગ ચોક ખાતે સવારે 11:00 વાગ્યાથી શરબત વિતરણ શરૂ થશે. ગ્રુપના ઉત્સાહી યુવાનો રથયાત્રાના રૂટ પર ભક્તોને સેવા આપશે. આ સંસ્થા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તોની સુવિધા અને સેવા માટે આ નાનકડો પ્રયાસ કરી રહી છે.
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ‘નાઇ યુવા ગ્રુપ’ દ્વારા શરબત વિતરણની સેવા
'3 ઈડિયટ્સ'નો 'ચતુર' મેદાને, 'ફુન્સુખ વાંગડુ'ને બચાવવા ભાવુક અપીલ
બોલિવૂડ ફિલ્મ '3 ઈડિયટ્સ'ના 'ચતુર રામલિંગમ' એટલે એક્ટર ઓમી વૈદ્યએ લદાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકનું સમર્થન કર્યું છે. સોનમ વાંગચુક લદાખને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા અને પર્યાવરણ રક્ષણ માટે ભૂખ હડતાળ પર છે. તેમના બગડતા સ્વાસ્થ્ય વચ્ચે ઓમી વૈદ્યએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, "આપણે વાસ્તવિક જીવનના ફુન્સુખ વાંગડુને આ રીતે મરવા ન દઈ શકીએ." તેમણે લદાખના ભવિષ્ય અને ગ્લેશિયર્સને બચાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. ઓમીની આ અપીલની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે.
'3 ઈડિયટ્સ'નો 'ચતુર' મેદાને, 'ફુન્સુખ વાંગડુ'ને બચાવવા ભાવુક અપીલ
સુરતમાં ખાડીપૂરની આફત બાદ તાપી કિનારે તૂટેલા પાળાથી નવી ચિંતા
સુરતમાં ખાડી પૂરની ઘટના બાદ હવે તાપી નદીના કિનારે નવા જોખમો ઊભા થયા છે. મોટા વરાછા વિસ્તારમાં તાપી નદીના સંરક્ષણ પાળા ત્રણ જગ્યાએ તૂટી જતાં નદીકાંઠાનું ધોવાણ વધ્યું છે. આ પાળા હાઈરાઈઝ બિલ્ડિંગના બાંધકામ સ્થળથી માત્ર 45-50 ફૂટ દૂર હોવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ભારે વરસાદને કારણે પાળાને નુકસાન થયું છે અને જાહેર ફૂટપાથનો ભાગ પણ ધોવાઈ ગયો છે. સુરત મહાનગરપાલિકાએ ચેતવણી આપી છે, પરંતુ સ્થાનિકો મજબૂત સમારકામ અને સુરક્ષા કામગીરીની માંગ કરી રહ્યા છે.
સુરતમાં ખાડીપૂરની આફત બાદ તાપી કિનારે તૂટેલા પાળાથી નવી ચિંતા
જામનગરનો જીવાદોરી સમાન બ્રાસ ઉદ્યોગ સંકટમાં
જામનગરનો વિશ્વવિખ્યાત બ્રાસ ઉદ્યોગ વીજ પુરવઠાની ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યો છે. દરેડ જીઆઇડીસીમાં શિવમ અને સિદ્ધનાથ ફીડરમાં લટકતા જીવલેણ તારો અને લોડ કેલિબ્રેશનના અભાવે વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ જાય છે. કારખાનેદારોની અનેક રજૂઆતો છતાં વીજતંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી. આ પરિસ્થિતિ નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગકારો માટે આર્થિક કટોકટી સર્જી રહી છે, જ્યાં બેંક લોન ભરવા અને કારીગરોને પગાર ચૂકવવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
જામનગરનો જીવાદોરી સમાન બ્રાસ ઉદ્યોગ સંકટમાં
જૂનાગઢના ભવનાથમાં વાઘેશ્વરી મંદિર પાસે આધેડની છરીના ઘા મારી હત્યા
જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં, વાઘેશ્વરી મંદિર નજીક એકાએક થયેલી ઘટનામાં ત્રણ અજાણ્યા શખસોએ એક આધેડ વ્યક્તિની છરીના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી. આ ઘટના 13મી જુલાઈની મોડી રાત્રે બની, જેના કારણે ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક, 45 વર્ષીય ભરત મકવાણા, છેલ્લા 7 વર્ષથી ભવનાથમાં એકલા રહેતા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો. પોલીસે તપાસ શરૂ કરીને ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી લીધા છે.
જૂનાગઢના ભવનાથમાં વાઘેશ્વરી મંદિર પાસે આધેડની છરીના ઘા મારી હત્યા
ઈથેનોલ પેટ્રોલ: માઈલેજ, નુકસાન અને નીતિન ગડકરીના સ્પષ્ટ ખુલાસા
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ABP ન્યૂઝને આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં ઇથેનોલ પેટ્રોલ (E20) ને લઈને ઉઠેલા પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા કરી. તેમણે સોશિયલ મીડિયા પર વાયરલ થતા દાવાઓ, જેમ કે ઇથેનોલથી ગાડીને નુકસાન અને માઇલેજમાં ઘટાડો, અંગે સત્ય જણાવ્યું. ગડકરીએ સ્પષ્ટ કર્યું કે પ્રદૂષણ ઘટાડવા અને સ્વદેશીને પ્રોત્સાહન આપવા માટે ઇથેનોલ એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે આત્મનિર્ભરતાના મંત્ર પર ભાર મૂક્યો. તેમણે ખાતરી આપી કે વોરન્ટી સમયગાળા દરમિયાન ઇથેનોલથી વાહનને થયેલા નુકસાનની ભરપાઈ કંપની કરશે.
ઈથેનોલ પેટ્રોલ: માઈલેજ, નુકસાન અને નીતિન ગડકરીના સ્પષ્ટ ખુલાસા
૧૨ વર્ષે બાવો બોલ્યો: આજવા સફારી પાર્ક પ્રોજેક્ટ માટે હવે રૂ. 450 કરોડનો ખર્ચ!
વડોદરા કોર્પોરેશન દ્વારા ૨૦૧૪-૧૫માં આજવા ખાતે વાઇલ્ડ લાઇફ સફારી પાર્કનું આયોજન થયું હતું. ૨૦૧૭માં ખાનગી કંપનીને કામ સોંપાયા છતાં વર્ષો સુધી કામ શરૂ ન થતાં અનેક નોટિસો પાઠવાઈ. વિપક્ષે પણ વિલંબ અંગે સવાલો ઉઠાવ્યા. રેલવે લાઇન જેવી અડચણોને જવાબદાર ગણાવવામાં આવી, પરંતુ આયોજન સમયે આ બાબતો કેમ ધ્યાનમાં ન લેવાઈ તે પ્રશ્ન છે. હવે ફરી એકવાર જાહેરાત કરાયેલા આ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કામાં એન્ટ્રી ગેટ અને કમ્પાઉન્ડ વોલ બનશે. અંદાજે રૂ. 400 થી 450 કરોડના ખર્ચ સાથે આ પ્રોજેક્ટ પૂર્ણ થવાની શક્યતા છે.
૧૨ વર્ષે બાવો બોલ્યો: આજવા સફારી પાર્ક પ્રોજેક્ટ માટે હવે રૂ. 450 કરોડનો ખર્ચ!
રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ
રાજકોટમાં વરસાદી માહોલ અને ઉકળાટ-બફારા વચ્ચે વાતાવરણમાં પલટો આવતા ઋતુજન્ય રોગચાળો વકર્યો છે. તાજા અહેવાલો અનુસાર, છેલ્લા એક સપ્તાહમાં શરદી અને તાવના ૧,૮૩૮ કેસ નોંધાતા ચિંતા પ્રસરી છે. આ સાથે ટાઈફોઈડ, કમળો અને ઝાડા-ઊલટીના કેસોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) નું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. દૂષિત પાણી અને બિનઆરોગ્યપ્રદ ખોરાકનું વેચાણ કરતા એકમો પર RMC દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે.
રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ
વાહનોનું માઇલેજ ઘટવા છતાં કેમ જરૂરી છે ઇથેનોલ?
E20 પેટ્રોલથી માઇલેજ અને એન્જિનને નુકસાન થવાના દાવા વચ્ચે સરકારે આ નીતિનો મક્કમ બચાવ કર્યો છે. સરકાર અનુસાર, E20 છોડીને E10 પર પાછા ફરવાથી દેશનું ₹1 લાખ કરોડથી વધુનું રોકાણ જોખમમાં મુકાઈ શકે છે. આ નીતિથી ₹1.90 લાખ કરોડની વિદેશી હૂંડિયામણની બચત થાય છે અને ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે. ટૂંકા ગાળાના માઇલેજ ઘટાડા છતાં, લાંબા ગાળાની ઊર્જા સુરક્ષા, દેશની આર્થિક પ્રગતિ અને રોકાણોના રક્ષણ માટે સરકાર આ નીતિ ચાલુ રાખવા કટિબદ્ધ છે.
વાહનોનું માઇલેજ ઘટવા છતાં કેમ જરૂરી છે ઇથેનોલ?
સહકાર નગરના વિસ્થાપિતો 9 વર્ષથી રાહ જોઈ રહ્યા છે, વડોદરા કોર્પોરેશન પહોંચ્યા
વડોદરા શહેરના તાંદળજા વિસ્તારમાં સહકાર નગર વસાહતને 2017માં વડોદરા કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવી હતી. ત્યારથી, આશરે 1,428 મકાનો ધરાવતી વસાહતના વિસ્થાપિત પરિવારો નવ વર્ષથી કાયમી આવાસની રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં, આ પરિવારોએ ફરી એક વખત વડોદરા કોર્પોરેશનના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગમાં રજૂઆત કરી છે. તેમને દર મહિને રૂ.2,000 ભાડા સહાય મળવાની હતી, પરંતુ છેલ્લા 24 મહિનાથી તેનું નિયમિત ચુકવણું થયું નથી. વધતી મોંઘવારીમાં આ રકમ અપૂરતી છે, જેના કારણે અનેક પરિવારો આર્થિક સંકટમાં છે. પુનર્વસન માટેના આવાસોનું નિર્માણ કામ પણ ક્યૂબ કન્સ્ટ્રક્શન દ્વારા ધીમી ગતિએ ચાલી રહ્યું છે. લાભાર્થીઓએ બાકી ભાડાની તાત્કાલિક ચૂકવણી અને આવાસોનો ઝડપી કબજો સોંપવાની માંગ કરી છે.
સહકાર નગરના વિસ્થાપિતો 9 વર્ષથી રાહ જોઈ રહ્યા છે, વડોદરા કોર્પોરેશન પહોંચ્યા
સુજ્ઞાબેન ભટ્ટ સમિતિની ભલામણોનો અમલ ન થતાં સુરતની દશા
વર્ષ 2006ના સુરતના વિનાશક ખાડીપૂર બાદ રચાયેલી ન્યાયમૂર્તિ સુજ્ઞાબેન ભટ્ટ સમિતિની ભલામણોનો અમલ રાજ્ય સરકાર કરવામાં નિષ્ફળ રહી છે. જો ભલામણોનો અમલ થયો હોત તો સુરતની આ દુર્દશા ન થઈ હોત. બે દાયકાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સરકારે આ ગંભીર આપત્તિમાંથી કોઈ બોધપાઠ લીધો નથી. માનવસર્જિત પરિબળો, ખામીયુક્ત ડેમ સંચાલન, અપૂરતું આયોજન, પૂર્વચેતવણીનો અભાવ અને પૂરપ્રવણ વિસ્તારોમાં બેફામ વિકાસે પૂરની ગંભીરતા વધારી હતી. સરકાર હજુ પણ ફ્લડ ફોરકાસ્ટિંગ વ્યવસ્થામાં સુધારો કરવામાં અને ફ્લડપ્લેઇન ઝોનિંગનો અમલ કરવામાં નિષ્ફળ રહી છે.
સુજ્ઞાબેન ભટ્ટ સમિતિની ભલામણોનો અમલ ન થતાં સુરતની દશા
વડોદરા પ્રેમિકા હત્યા કેસ: પ્રેમીને આજીવન કેદની સજા
વડોદરા કોર્ટ દ્વારા પ્રેમ સંબંધનો અંત લાવવા માંગતી યુવતીની ઘાતકી હત્યા કરનાર આરોપી સોમનાથ પાટીલને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે આ કેસને 'રેરેસ્ટ ઓફ રેર' ગણી ફાંસીની સજાની માંગણી નામંજૂર કરી હતી. આરોપીએ પ્રેમ સંબંધનો અંત લાવવા માંગતી યુવતી પર છરી વડે ઉપરાછાપરી ઘા ઝીંકી નિર્દયી હત્યા કરી હતી. તપાસમાં પ્રેમપત્રો, ડી-માર્ટના CCTV ફૂટેજ, બિલ અને FSL રિપોર્ટ જેવા વૈજ્ઞાનિક પુરાવાઓ દ્વારા ગુનો સાબિત થયો હતો.
વડોદરા પ્રેમિકા હત્યા કેસ: પ્રેમીને આજીવન કેદની સજા
સૌરાષ્ટ્રમાં જળસંકટ: રાજકોટના 26 જળાશયો 50% ખાલી
સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે અત્યાર સુધી નહિવત વરસાદને કારણે ગંભીર જળસંકટ ઊભું થયું છે. રાજકોટ જિલ્લાના મુખ્ય 26 જળાશયો 50 ટકા ખાલી થઈ ગયા છે, જેમાં ભાદર ડેમમાં 43% અને ન્યારી ડેમમાં માત્ર 24% જળસંગ્રહ બચ્યો છે. વેરી ડેમ અને છાપરવાડી ડેમ-2 સંપૂર્ણપણે સૂકા જાહેર કરાયા છે, જેનાથી ડઝનથી વધુ ગામડાઓમાં પીવા અને ખેતીના પાણીની હાલાકી શરૂ થઈ ગઈ છે. જો સારો વરસાદ નહીં વરસે તો પીવાના પાણીની કટોકટી વધુ ઘેરી બનશે, જેની અસર ખેતી, પશુપાલન અને ઉદ્યોગો પર પણ પડશે.
સૌરાષ્ટ્રમાં જળસંકટ: રાજકોટના 26 જળાશયો 50% ખાલી
સસ્તા સોનાની લાલચમાં ખેડૂતે જમીન ગીરવી મૂકી પાંચ લાખ ગુમાવ્યા
સસ્તુ સોનુ ખરીદવાની લાલચમાં છોટાઉદેપુર જિલ્લાના એક ખેડૂતે પોતાની જમીન ગીરવી મૂકી પાંચ લાખ રૂપિયા મેળવ્યા હતા. આ રકમ આપીને સોનાની ખરીદી કરતાં તે નકલી નીકળતાં ખેડૂત છેતરાયો હતો. ફરિયાદી ઇસલા ગોવિંદભાઈ રાઠવાને બે શખ્સોએ સંપર્ક કરી રાજા મહારાજાના સોનાની લાલચ આપી હતી. એક કિલો સોનાના બદલામાં પાંચ લાખ રૂપિયા આપવાની વાત કરવામાં આવી હતી. સોનાની ચકાસણીમાં તે અસલી જણાતા ખેડૂતે જમીન ગીરવી રાખી પૈસા મેળવ્યા અને સોનાની ખરીદી કરી, પરંતુ બાદમાં તે નકલી સાબિત થયું.
સસ્તા સોનાની લાલચમાં ખેડૂતે જમીન ગીરવી મૂકી પાંચ લાખ ગુમાવ્યા
પાટણમાં વ્યાજખોરએ 5 હજારની ઉઘરાણીમાં મહિલાને જીવતી સળગાવી
પાટણ શહેરના ટાંકવાડા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. ઘરખર્ચ માટે લીધેલા 5 હજાર રૂપિયાના વ્યાજની ઉઘરાણી બાબતે એક મહિલા પર જ્વલનશીલ પ્રવાહી છાંટી જીવતી સળગાવી દેવામાં આવી. ગંભીર રીતે દાઝેલી મહિલાને ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું દુઃખદ અવસાન થયું. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક મહિલાના બે બાળકોએ માતા ગુમાવી છે.
પાટણમાં વ્યાજખોરએ 5 હજારની ઉઘરાણીમાં મહિલાને જીવતી સળગાવી
ચાંદીપુરા વાયરસ સામે ગુજરાત એલર્ટ: આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના વધતા કેસોને પગલે આરોગ્ય વિભાગ સક્રિય થયું છે. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વાયરસ નિયંત્રણ માટે કડક પગલાં લેવા સૂચના અપાઈ. તેમણે લેબોરેટરી ટેસ્ટિંગ ઝડપી બનાવવા અને ૧૯ શંકાસ્પદ નમૂનાઓમાંથી ૭ પોઝિટિવ કેસની માહિતી આપી. મંત્રીશ્રીએ ત્રણ બાળકોના મૃત્યુ અંગે ચિંતા વ્યક્ત કરી, હવે એકપણ બાળકના જીવ ન જાય તે માટે સાવચેતી રાખવા જણાવ્યું. IMAના સહયોગથી ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને નવી ગાઇડલાઇન જાહેર કરાઈ છે.
ચાંદીપુરા વાયરસ સામે ગુજરાત એલર્ટ: આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક
અમદાવાદમાં વરસાદની આગાહી: 15મી જુલાઈથી હવામાન પલટાશે
અમદાવાદમાં અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે રાહતના સમાચાર છે. હવામાન વિભાગ (IMD) અને નિષ્ણાતો અનુસાર, 15મી જુલાઈથી વાતાવરણમાં મોટો બદલાવ આવશે. 16 થી 20 જુલાઈ દરમિયાન, અમદાવાદ સહિત રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે. આ આગાહીને પગલે, નાગરિકોને ગરમી અને બફારામાંથી રાહત મળશે. બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ જામશે. AMC નીચાણવાળા વિસ્તારો અને અંડરપાસ ખાતે વોટર પંપ તૈનાત કરીને સજ્જ બન્યું છે.