સાગબારા જંગલ જમીન વિવાદ યથાવત્, ખેડૂતો અને વન વિભાગ સામસામે
સાગબારા જંગલ જમીન વિવાદ યથાવત્, ખેડૂતો અને વન વિભાગ સામસામે
Published on: 02nd September, 2026

નર્મદા જિલ્લાના સાગબારામાં જંગલ જમીન પર ખેડાણના અધિકારને લઈને આદિવાસી ખેડૂતો અને વન વિભાગ વચ્ચેનો વિવાદ વકર્યો છે. તાજેતરમાં હલગામ પાડી ગામના ખેડૂતો અને વન વિભાગના અધિકારીઓ કમ્પાર્ટમેન્ટ નંબર 454માં ખેતી કરવા પહોંચતા ઘર્ષણ થયું. વન વિભાગે ટ્રાયબલ વિભાગ પાસેથી માન્ય દસ્તાવેજો મેળવ્યા બાદ જ ખેડાણ કરવાની શરત મૂકી. ખેડૂતો છેલ્લા 20 મહિનાથી વન અધિકાર કાયદા હેઠળ હકની રાહ જોઈ રહ્યા છે અને વધુ 90 દિવસ રાહ જોવાની વાતથી રોષે ભરાયા છે.