મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે નિર્મલભાઈ જારીયાની વરણી નિવાસસ્થાને ઉજવણી થઈ.
મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે નિર્મલભાઈ જારીયાની વરણી નિવાસસ્થાને ઉજવણી થઈ.
Published on: 17th February, 2026

મોરબી જિલ્લા ભાજપ દ્વારા સંગઠન માળખાની જાહેરાત થઈ, જેમાં નિર્મલભાઈ જારીયાની જિલ્લા મહામંત્રી તરીકે વરણી થઈ. આ નિર્ણયને ઢોલ નગારાથી આવકારવામાં આવ્યો. મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા દ્વારા જાહેરાત બાદ જેલ રોડ પર આવેલા નિવાસસ્થાને ઉજવણી થઈ. કાર્યકરો અને સ્થાનિક લોકોએ આતિશબાજી કરી વધાવી લીધી. નિર્મલભાઈ જારીયા અગાઉ બક્ષીપંચ મોરચાના પ્રમુખ હતા.