હાઈવે પર ટ્રાફિક જામમાં ફસાયેલા પૂર્વ ડેપ્યુટી CM નીતિન પટેલનો ગુસ્સો
અમદાવાદ-મહેસાણા હાઈવે પર કલોલ નજીક ડ્રેનેજ લાઇનના કામને કારણે થયેલા ભારે ટ્રાફિક જામમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ફસાયા હતા. હજારો વાહનચાલકો કલાકો સુધી અટવાયા હતા, પરંતુ રસ્તા પર એક પણ પોલીસ જવાન જોવા મળ્યો નહોતો. આ પોલીસની બેદરકારી અને અણઘડ વ્યવસ્થા જોઈને નીતિન પટેલ ખૂબ જ અકળાયા હતા. તેમણે સીધા કલોલ DySPની કચેરીએ પહોંચી પોલીસ કર્મચારીઓને કડક શબ્દોમાં ખખડાવ્યા હતા અને જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરવાની ચીમકી આપી હતી.
હાઈવે પર ટ્રાફિક જામમાં ફસાયેલા પૂર્વ ડેપ્યુટી CM નીતિન પટેલનો ગુસ્સો
AMCમાં નવી કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની જાહેરાત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં આજે, 25મી જૂને, બપોરે 12 વાગ્યે મળનારી સામાન્ય સભામાં વિવિધ કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવશે. રોડ એન્ડ બિલ્ડિંગ, વોટર સપ્લાય, ટાઉન પ્લાનિંગ, હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ, રેવન્યુ, મહિલા બાળ વિકાસ અને લીગલ સહિત 11 મહત્ત્વપૂર્ણ કમિટીઓ માટે 16-16 સભ્યોના નામ જાહેર થશે. આ સાથે, AMTS કમિટીના ચેરમેન અને અન્ય 8 સભ્યોની નિમણૂક પણ થશે. નવી કમિટીઓમાં જાતિ, વર્ગ અને ઝોન જેવા રાજકીય પરિબળોને ધ્યાનમાં રાખીને સત્તાનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરાશે.
AMCમાં નવી કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની જાહેરાત
હવે એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે!
અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસના સમયપત્રક અને સંચાલનમાં મહત્વના ફેરફારો કરાયા છે. હવે ટ્રેન અમદાવાદના બદલે સાબરમતી જંક્શનથી ઉપડશે અને પશ્ચિમ અમદાવાદના મુસાફરોની સુવિધા માટે આંબલી રોડ સ્ટેશન પર પણ સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સાણંદમાં પણ ટ્રેન રોકાશે, જેથી પ્રવાસીઓને કાલુપુર જવાની જરૂર નહીં પડે. નવી વ્યવસ્થા હેઠળ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ દોડશે અને શ્રદ્ધાળુઓ એક જ દિવસમાં દ્વારકાધીશના દર્શન કરીને પરત ફરી શકશે.
હવે એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે!
NCERT ધોરણ 9 ના પુસ્તકમાં 'ઈમરજન્સી'નો પાઠ, શિક્ષણમાં રાજકારણનો પ્રવેશ.
NCERT એ ધોરણ 9 ના સોશિયલ સાયન્સના નવા પુસ્તકમાં 1975માં લાદવામાં આવેલી ઈમરજન્સી પર એક નવું પ્રકરણ ઉમેર્યું છે. આ પ્રકરણ ભારતીય લોકશાહીના મહત્વપૂર્ણ તબક્કા, તેના ઉતાર-ચઢાવ, અને બંધારણીય અધિકારોની સમજ વિદ્યાર્થીઓને આપશે. 'Understanding Society: India and Beyond-Part 1' પુસ્તકમાં ઈમરજન્સી, તેના કારણો, અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો, અને લોકશાહીની વાપસી જેવી ઘટનાઓનો સમાવેશ કરાયો છે. અત્યાર સુધી ઉચ્ચ શિક્ષણમાં ભણાવવામાં આવતો આ વિષય હવે શાળાકીય સ્તરે શીખવવામાં આવશે.
NCERT ધોરણ 9 ના પુસ્તકમાં 'ઈમરજન્સી'નો પાઠ, શિક્ષણમાં રાજકારણનો પ્રવેશ.
મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ જપ્તી: દિલ્હીમાં EDના અનેક સ્થળોએ દરોડા!
૨૦૨૧માં મુન્દ્રા પોર્ટ પરથી રૂ. ૨૧,૦૦૦ કરોડનું ૨૯૮૮.૨૧ કિલો હેરોઇન જપ્ત થયું હતું. આ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ દિલ્હીમાં અનેક સ્થળોએ તપાસ હાથ ધરી છે. ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ દિલ્હીનાં બિઝનેસમેન હરપ્રીત સિંહ તલવાર ઉર્ફે કબીર તલવાર, શમસુદ્દીન અને અન્ય કેટલાક લોકોનાં પરિસરો સહિત પાંચ જગ્યાએ દરોડા પાડ્યા હતાં. આ ડ્રગ્સ નેટવર્ક પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાને ફંડિંગ કરતું હોવાનું NIAની ચાર્જશીટમાં જણાવાયું છે.
મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ જપ્તી: દિલ્હીમાં EDના અનેક સ્થળોએ દરોડા!
અમરેલીમાં ફરી સિંહનો આતંક!
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે ગત રાત્રે એક હૃદયદ્રાવક ઘટના બની. 5 વર્ષનો બાળક તેના દાદાની નજર સામે દૂધ લેવા જઈ રહ્યો હતો, ત્યારે અચાનક ત્રાટકેલી સિંહણે તેને ઉપાડી લીધો. ગામલોકોએ બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ દુર્ભાગ્યે બાળકનો મૃતદેહ મળ્યો. છેલ્લા મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. વન વિભાગે એક સિંહણને પાંજરે પૂર્યું છે અને અન્યને શોધવા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. વન વિભાગે ગ્રામજનોને રાત્રે એકલા બહાર ન નીકળવા અપીલ કરી છે.
અમરેલીમાં ફરી સિંહનો આતંક!
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ!
દેશભરમાં ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે 25 જૂન માટે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડું અને વીજળી પડવાની ચેતવણી આપી છે. અનેક હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી 80થી 85 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન અને પૂર્વ ભારતમાં વાવાઝોડાનું જોખમ વધ્યું છે. ખેડૂતોને પાકનું રક્ષણ કરવા અને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ વીજળી દરમિયાન ખુલ્લા સ્થળોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ!
અમદાવાદના ક્રિકેટ પ્રેમી યુવકની બેટ-બોલ સાથે અનોખી અંતિમયાત્રા
અમદાવાદના રોહિત નામના યુવક, જે ક્રિકેટનો દિવાનો હતો, તેણે તાજેતરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. તેની અંતિમયાત્રામાં 100 થી વધુ મિત્રો બેટ અને બોલ સાથે જોડાયા અને તેમણે કાયમ માટે ક્રિકેટ રમવાનું છોડી દેવાનો નિર્ણય કર્યો. આ અનોખી અંતિમયાત્રાએ સૌને ભાવુક કરી દીધા. પરિવારજનોના જણાવ્યા મુજબ, રોહિતને કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ધમકીઓ મળતી હતી, જેના કારણે તે ડિપ્રેશનમાં હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ક્રિકેટ પ્રેમી યુવકની બેટ-બોલ સાથે અનોખી અંતિમયાત્રા
બાંગ્લાદેશી ઘૂસણખોરી: ગુજરાતમાં નોકરી, દેહવેપાર અને પૈસા મોકલવાની રણનીતિનો પર્દાફાશ
ગુજરાત પોલીસે 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' હેઠળ 500થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડ્યા છે, જે માનવ તસ્કરી અને નકલી દસ્તાવેજોના મોટા નેટવર્કનો પર્દાફાશ કરે છે. ખેતર, નદી અને જંગલ માર્ગે ₹40 હજારમાં ઘૂસણખોરી કરીને ગુજરાતમાં આવતા આ લોકો, નોકરી અને બ્યુટીપાર્લરના નામે દેહવેપારમાં ધકેલાઈ જાય છે. તેઓ તેમની કમાણી bKash(બિકેશ), UPI અને અન્ય માધ્યમો દ્વારા વતનમાં મોકલે છે, જેમાં એજન્ટો મોટું કમિશન લે છે.
બાંગ્લાદેશી ઘૂસણખોરી: ગુજરાતમાં નોકરી, દેહવેપાર અને પૈસા મોકલવાની રણનીતિનો પર્દાફાશ
ગુજરાતી 'નાનીના નાસ્તા'નો દિલ્હીવાસીઓને ચસકો લાગ્યો!
૯૧ વર્ષની ઉંમરે પતિના અવસાન બાદ પ્રભાવતીબેને 'નાનીસ નાસ્તા' નામનો સ્ટાર્ટઅપ શરૂ કર્યો. દરરોજ સવારે ૫ વાગ્યે ઉઠીને તેઓ દિલ્હીવાસીઓ માટે ઢોકળા, દાળ ઢોકળી, થેપલાં જેવી વાનગીઓ બનાવે છે. તેમની અદભૂત સફર જોઈને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા પણ તેમના પ્રશંસક બન્યા છે. પ્રભાવતીબેન કમાણીના હેતુથી નહીં, પણ પ્રવૃત્તિમય રહેવા અને સમાજસેવા માટે આ વ્યવસાય કરે છે. તેમને 'યંગેસ્ટ શેફ ઇન ઇન્ડિયા'નો એવોર્ડ પણ મળ્યો છે.
ગુજરાતી 'નાનીના નાસ્તા'નો દિલ્હીવાસીઓને ચસકો લાગ્યો!
છોટાઉદેપુરના કવાંટના અંતરિયાળ ગામોમાં BSNL નેટવર્ક સમસ્યા
કવાંટ તાલુકાના નાખલ, મોગરા અને કરવી જેવા અંતરિયાળ ગામોમાં BSNL મોબાઈલ નેટવર્કની સમસ્યાને કારણે ગ્રામજનો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી નેટવર્ક નબળું પડતાં, ખાસ કરીને કટોકટીની સ્થિતિમાં 108 જેવી ઈમરજન્સી સેવાઓનો સંપર્ક કરવો અશક્ય બન્યો છે. ગ્રામજનોએ BSNLના કનેક્શન લીધા છે, પરંતુ માત્ર 10માંથી 2 દિવસ જ નેટવર્ક ચાલુ રહે છે. અનેક ફરિયાદો છતાં કોઈ પગલાં ન લેવાતા, સરપંચો અને આગેવાનોએ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે.
છોટાઉદેપુરના કવાંટના અંતરિયાળ ગામોમાં BSNL નેટવર્ક સમસ્યા
ડભોઇના અંગુઠણ-નારીયા વચ્ચે નવું નાળું તૈયાર, પણ એપ્રોચ રોડ અધૂરા
ડભોઇ તાલુકાના અંગુઠણ અને નારીયા ગામ વચ્ચે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા માટે તંત્ર દ્વારા નાળાની ઊંચાઈ વધારવામાં આવી હતી. જોકે, કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે નાળું તૈયાર થયા બાદ પણ વાહનચાલકો અને સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. નાળાની બંને બાજુના એપ્રોચ રોડ પર માત્ર કપચી નાખીને કામ અધૂરું છોડી દેવાયું છે. ડામર રોડ ન બનવાને કારણે આ વિસ્તાર અકસ્માત ઝોન બન્યો છે. ખુલ્લી કપચી પર વાહનો સ્લિપ થઈ રહ્યા છે અને ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે.
ડભોઇના અંગુઠણ-નારીયા વચ્ચે નવું નાળું તૈયાર, પણ એપ્રોચ રોડ અધૂરા
પાટણ પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું
પાટણ શહેરમાં આગામી 25 અને 26 જુનના દિવસે યોજાનાર મહોરમના તહેવારને ધ્યાનમાં રાખીને પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા અને શાંતીપૂર્ણ માહોલ સુનિશ્ચિત કરવા માટે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે શહેરમાં સંવેદનશીલ વિસ્તારોમાં અને તાજીયાના નિર્ધારિત રૂટોનું ઝીણવટભર્યું નિરિક્ષણ કર્યું હતું. પોલીસે મહોરમ મહોત્સવના સ્થાનિક આયોજકો સાથે ચર્ચા કરી હતી અને કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવા સહિત જુલુસ દરમિયાન તકેદારી રાખવા સુચનો કર્યા હતા.
પાટણ પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું
પાદરાના આચાર્ય જીગ્નેશ પંડયાને બેસ્ટ ઇન્ડિયન એચિવમેન્ટ ઍવૉર્ડ એનાયત
અમદાવાદમાં ઈન્ટરનેશનલ એસ્ટ્રો ફઉન્ડેશન અને શ્રી મહર્ષિ વેદવ્યાસ એકેડમીની 25મી સિલ્વર જ્યુબિલી નિમિત્તે આયોજિત પદવીદાન સમારોહમાં, પાદરા તાલુકાના સાદરા ગામના કેન્દ્ર અધ્યક્ષ આચાર્ય જીગ્નેશભાઈ રમેશભાઈ પંડયા (બાપજી)ને જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર અને પુરોહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ સન્માનિત કરાયા. તેમને બેસ્ટ જ્યોતિષી-અધ્યાપક, બેસ્ટ વાસ્તુશાસ્ત્રી-અધ્યાપક તથા બેસ્ટ પુરોહિત્ય (કર્મકાંડી)-અધ્યાપક તરીકે પસંદ કરાયા હતા. સિલ્વર મેડલ, ટ્રોફી અને બેસ્ટ ઈન્ડિયન એચીવમેન્ટ એવોર્ડ મળતાં સાદરા ગામ અને પાદરા તાલુકામાં ખુશીનો માહોલ છે.
પાદરાના આચાર્ય જીગ્નેશ પંડયાને બેસ્ટ ઇન્ડિયન એચિવમેન્ટ ઍવૉર્ડ એનાયત
રાધનપુર પાસે પુલ પર લોડિંગ રિક્ષા પલટી
રાધનપુર નજીક એક પુલ પર લોડિંગ રિક્ષા પલટી જતાં ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બાસ્પા ગામના બે યુવાનો લોડિંગ રિક્ષામાં લીંબોળી વેચવા જતી વખતે રિક્ષા ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં આ ઘટના બની હતી. આ અકસ્માતમાં બંને યુવાનોને શરીરે ઇજાઓ પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં એક યુવાનની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે મહેસાણા ખાતે રિફર કરાયો.
રાધનપુર પાસે પુલ પર લોડિંગ રિક્ષા પલટી
છોટાઉદેપુરના નસવાડીમાં શિક્ષણના વિકાસ માટે 10 કરોડના ખર્ચે 52 નવા વર્ગખંડોનું ખાતમુહૂર્ત થયું
નસવાડી તાલુકામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નિમિત્તે ધારાસભ્ય અભેસિંહ તડવીએ બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો. આ પ્રસંગે રૂા. 10 કરોડના ખર્ચે 52 નવા વર્ગખંડોનું ખાતમુહૂર્ત કરાયું. અમરોલી ગામે રૂા. 2.94 કરોડના ખર્ચે આધુનિક કન્યા હોસ્ટેલનું ભૂમિપૂજન થયું, જેનાથી વિદ્યાર્થીઓને સારી સુવિધાઓ મળશે. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ, અધિકારીઓ, કાર્યકર્તાઓ, ગ્રામજનો, વાલીઓ, શિક્ષકો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
છોટાઉદેપુરના નસવાડીમાં શિક્ષણના વિકાસ માટે 10 કરોડના ખર્ચે 52 નવા વર્ગખંડોનું ખાતમુહૂર્ત થયું
પાટણના સરિયદ અને દેલીયાથર ગામે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
આગામી સમયમાં મોહરમના તહેવારને ધ્યાનમાં રાખીને પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ શાંતીપૂર્ણ માહોલમાં મહોરમનો તહેવાર સંપન્ન થાય તેવા હેતુથી સરસ્વતી તાલુકા પોલીસ દ્વારા તાલુકાના સરિયદ અને દેલીયાથર ગામે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન સરસ્વતી પીઆઈ જે.આર ચૌધરી સહિતના સ્ટાફે સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજીને શાંતીપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરવામાં આવે તેમ જણાવ્યું હતું.
પાટણના સરિયદ અને દેલીયાથર ગામે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
ડભોઈમાં ચોમાસા અગાઉ વરસાદી કાંસ પૂરાતા સ્થાનિકોમાં ભારે રોષ
ડભોઈમાં ચોમાસાની તૈયારીઓ નિષ્ફળ નીવડી રહી છે. સરિતા ફાટકથી નીલકંઠ અને ગાયત્રી સોસાયટી સુધીના વરસાદી કાંસ માટી અને કચરાથી ભરાઈ ગયા છે. આ કારણે દર ચોમાસે આ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે, જેનાથી રહીશોના ઘરોમાં પાણી ઘૂસી જાય છે અને ઘરવખરીને નુકસાન થાય છે. સ્થાનિકોએ નગરપાલિકામાં અનેક વાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. આજે રહીશોએ ભેગા મળીને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો અને તાત્કાલિક સફાઈ કરવાની માંગ કરી છે.
ડભોઈમાં ચોમાસા અગાઉ વરસાદી કાંસ પૂરાતા સ્થાનિકોમાં ભારે રોષ
હિંમતનગરમાં ટેકાના ભાવે મકાઈ-બાજરી ખરીદીમાં ખેડૂતોને પડતી મુશ્કેલી
હિંમતનગર નજીક ટેકાના ભાવે મકાઈ અને બાજરીની ખરીદી કેન્દ્ર પર ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ખરીદી પ્રક્રિયામાં વિલંબ, એકસાથે માત્ર ત્રણ ટ્રેક્ટર લેવાતાં લાંબી કતાર, અને ગોડાઉનમાં અનાજ ખાલી કર્યા બાદ બેગમાં ભરવાની ધીમી ગતિને કારણે ખેડૂતોને કલાકો સુધી રાહ જોવી પડે છે. ખરીદ કેન્દ્ર પર બેસવાની, છાંયડાની કે પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂત આલમમાં રોષ વ્યાપ્યો છે.
હિંમતનગરમાં ટેકાના ભાવે મકાઈ-બાજરી ખરીદીમાં ખેડૂતોને પડતી મુશ્કેલી
વડોદરામાં પીએમશ્રી પાદરા જેસીસ જાનકી વલ્લભ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
પાદરા સ્થિત પીએમશ્રી જેસીસ જાનકી વલ્લભ પ્રાથમિક શાળામાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત નિમિત્તે પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફ્સર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય અને વૃક્ષારોપણ બાદ નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું. આ શૈક્ષણિક વર્ષમાં કુલ 37 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો. મહાનુભાવોએ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સારા સંસ્કારોના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું. વાલીઓને બાળકોના સર્વાંગી વિકાસમાં સહયોગી બનવા અનુરોધ કરાયો.
વડોદરામાં પીએમશ્રી પાદરા જેસીસ જાનકી વલ્લભ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
પંચમહાલની બાલવાટિકાના ૨૦ અને ધો.૧ના ૧૦ સહિત કુલ ૩૦ દીકરીઓને સંદીપસિંહ ગોહિલ દ્વારા પ્રવેશ અપાયો
બોડેલી કન્યાશાળા પીએમશ્રી ગુજરાત ખાતે શાળા પ્રવેશોત્સવ-2026ની ભવ્ય ઉજવણી થઈ, જેમાં મુખ્ય અતિથિ સંદિપસિંહ એન.ગોહિલ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં કુલ ૩૦ દીકરીઓને કુમકુમ તિલક કરી શાળા પ્રવેશ અપાયો, જેમાં બાલવાટિકામાં ૨૦ અને ધો.૧માં ૧૦ દીકરીઓનો સમાવેશ થાય છે. દાતાઓ દ્વારા દફ્તર અને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું. સંદીપસિંહ ગોહિલે શાળાની પ્રગતિની પ્રશંસા કરી અને દીકરીઓને વિજ્ઞાન-ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધવા પ્રેરિત કરી, કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ જેવા ઉદાહરણો આપ્યા.
પંચમહાલની બાલવાટિકાના ૨૦ અને ધો.૧ના ૧૦ સહિત કુલ ૩૦ દીકરીઓને સંદીપસિંહ ગોહિલ દ્વારા પ્રવેશ અપાયો
હિંમતનગરના સરોલીમાં ખેતરમાંથી 15 કિલોથી વધુ ગાંજાના છોડ ઝડપાયા
સાબરકાંઠા SOGએ વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારના સરોલી ગામમાં એક ખેતરમાં ગેરકાયદે રીતે ગાંજાનું વાવેતર કરનાર ઉનાજી દિનેશભાઈ ખરાડીને ઝડપી પાડ્યો છે. એસઓજીની ટીમે દરોડો પાડી 15.580 કિલોગ્રામ વજનના ગાંજાના 10 છોડ કબજે કર્યા છે, જેની અંદાજિત કિંમત રૂ. 7.79 લાખ છે. આ સાથે બે મોબાઈલ ફોન મળી કુલ રૂ. 7.81 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે ઉનાજી ખરાડી સામે વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિંમતનગરના સરોલીમાં ખેતરમાંથી 15 કિલોથી વધુ ગાંજાના છોડ ઝડપાયા
છોટાઉદેપુરના બોડેલીમાં જર્જરિત પાણીની ટાંકીની રેલિંગ તૂટી
છોટાઉદેપુરના બોડેલીમાં સોમનાથ સોસાયટી ખાતે આવેલી વર્ષો જૂની પાણીની ટાંકીની રેલિંગ અચાનક તૂટી પડતાં સ્થાનિકોમાં ભયનો માહોલ છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાએ ટાંકીની જર્જરિત હાલત અને સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ સર્જ્યા છે. લગભગ 30-35 વર્ષ જૂની આ ટાંકીના પિલરોમાં તિરાડો પડી છે અને તેના કાંકરા તથા પોપડા પણ નીચે પડે છે. લોકો તાત્કાલિક સમારકામ અને નવી ટાંકીની માંગ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.
છોટાઉદેપુરના બોડેલીમાં જર્જરિત પાણીની ટાંકીની રેલિંગ તૂટી
હિંમતનગર બાયપાસ રોડ પર ફરજ પરના પોલીસ કર્મીને પુરઝડપી કારે અડફેટે લેતાં ઈજા
હિંમતનગર બી-ડિવીઝન પોલીસ સ્ટેશન હેઠળના બાયપાસ રોડ પર ફરજ પર જઈ રહેલા પોલીસ કર્મી અરવિંદભાઈ ગમારને બુધવારે એક અજાણી કારના ચાલકે ટોલટેક્ષ નજીક પુરઝડપે વાહન હંકારી અડફેટે લેતાં તેમને ઈજા પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે પોલીસે CCTV ફુટેજની ચકાસણી કરીને કારચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિંમતનગર બાયપાસ રોડ પર ફરજ પરના પોલીસ કર્મીને પુરઝડપી કારે અડફેટે લેતાં ઈજા
ડેસર તાલુકાની વાણિજ્ય કોલેજ બંધ થવાની આશંકા: વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ
ડેસર તાલુકાના નવા શિહોરાની વાણિજ્ય વિનય કોલેજ બંધ થવાની ચર્ચાએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. કોલેજ બંધ થશે તો ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે 35 કિમી દૂર જવું પડશે, જે ખાસ કરીને વિદ્યાર્થિનીઓ અને આર્થિક રીતે નબળા પરિવારો માટે મુશ્કેલીરૂપ બનશે. વાલીઓએ જણાવ્યું કે આ નિર્ણયથી ઉચ્ચ શિક્ષણ પર ગંભીર અસર પડશે અને કોલેજ ચાલુ રાખવા માંગ કરી છે. માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ડેસર તાલુકાની વાણિજ્ય કોલેજ બંધ થવાની આશંકા: વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ
હિંમતનગરના કતપુર ટોલટેક્ષ પાસેથી રૂપિયા 3.53 લાખની બીયર સાથે બે શખ્સો ઝડપાયા.
પ્રાંતિજ પોલીસ સ્ટેશન હેઠળ કતપુર ટોલટેક્ષ પાસે બાતમીના આધારે પોલીસે એક કાર ઝડપી પાડી. આ કારમાંથી રૂ.3.53 લાખની 1080 બીયરની બોટલો મળી આવી. પોલીસે નિલદીપસિંહ ગોહિલ અને યોગેશસિંહ ઉર્ફે યોગેન્દ્રસિંહ રાઠોડની અટકાયત કરી. તેઓએ કબૂલાત કરી કે બીયરનો જથ્થો ઉદેપુરના તેજપાલસિંહ દ્વારા દ્વારકાના દાતાના પ્રદિપસિંહને મોકલવાનો હતો. પોલીસે બંને ઝડપાયેલા અને અન્ય બે વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
હિંમતનગરના કતપુર ટોલટેક્ષ પાસેથી રૂપિયા 3.53 લાખની બીયર સાથે બે શખ્સો ઝડપાયા.
ગોધરાના વેજલપુર અને બેઢીયા ક્લસ્ટરમાં બાળકોને શાળા પ્રવેશ
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નિમિત્તે કાલોલ તાલુકાના વેજલપુર અને બેઢીયા વિસ્તારની શાળાઓમાં કાર્યક્રમ યોજાયો. ઈન્ડેક્સ-સીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ.એસ. જે. જોશીએ બાળકોને શાળામાં પ્રવેશ અપાવી ઉચ્ચ શિક્ષણના મહત્વ વિશે પ્રેરણા આપી. તેમણે બાળકોને સપના જોવા અને તેને સાકાર કરવા મહેનત કરવાની શીખ આપી. વેજલપુર ક્લસ્ટરમાં વિવિધ ધોરણોમાં બાળકોને પ્રવેશ અપાયો. જ્યારે બેઢીયા ક્લસ્ટરમાં કરુણેશ વિદ્યામંદિર શાળામાં પણ વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો.
ગોધરાના વેજલપુર અને બેઢીયા ક્લસ્ટરમાં બાળકોને શાળા પ્રવેશ
મોડાસામાં જાણીતી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ શુઝ-ચપ્પલ વેચતી બે દુકાનો પર પોલીસનો દરોડો
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ શુઝ અને ચપ્પલનું ગેરકાયદેસર વેચાણ કરતા બે વેપારીઓ ઝડપાયા છે. ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પોલીસે મોડાસાની બે અલગ-અલગ દુકાનો પર દરોડા પાડ્યા હતા. મી શુઝ નામની દુકાનમાંથી રૂ.1.70 લાખના 170 જોડી અને બુલેટ નામની દુકાનમાંથી રૂ.95,000ના 95 જોડી નકલી ફૂટવેર મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ.2,65,000નો મુદ્દામાલ કબજે કરી બંને વેપારીઓ વિરૂદ્ધ કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
મોડાસામાં જાણીતી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ શુઝ-ચપ્પલ વેચતી બે દુકાનો પર પોલીસનો દરોડો
દાહોદમાં આદિવાસી યુવાનો ડોક્ટર, પાઈલટ, એન્જિનિયર બની રહ્યા છે: CM
દાહોદ જિલ્લાના મોટી ખરજ ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026 ના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો. તેમણે કહ્યું કે, રાજ્યના છેવાડાના બાળકોને પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવું સરકારની પ્રાથમિકતા છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ બાળકોને શૈક્ષણિક કીટ અને સ્કૂલ બેગ આપી પ્રોત્સાહિત કર્યા. તેમણે જણાવ્યું કે, PM નરેન્દ્ર મોદીના શિક્ષણ અભિયાનને કારણે આદિવાસી પટ્ટાના બાળકો ડોક્ટર, એન્જિનિયર અને પાયલોટ બની ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. વાલીઓએ પણ બાળકોના શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ.
દાહોદમાં આદિવાસી યુવાનો ડોક્ટર, પાઈલટ, એન્જિનિયર બની રહ્યા છે: CM
ગોધરાના પખવાડિયા પહેલાં બનેલું નાળું પ્રથમ વરસાદે તણાયું
ઘોઘંબા તાલુકાના જોરાપુરા ગામમાં પ્રથમ વરસાદમાં જ નવા બનેલા નાળાનું ધોવાણ થતાં કામગીરીની ગુણવત્તા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સાત વર્ષ જૂનું સમાંતર નાળું હજી અકબંધ છે, જ્યારે નવું નાળું તૂટી ગયું છે. આ ઉપરાંત, ગામમાં 33 શૌચાલય બન્યા વિના જ નાણાં ઉપડી ગયા છે અને શોષ ખાડા સહિતના વિકાસ કાર્યો પણ યોગ્ય રીતે ન થયાનો આક્ષેપ છે. સ્થાનિકોએ જીલ્લા અને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિતમાં રજુઆત કરી તપાસ અને કાર્યવાહીની માંગ કરી છે, નહિંતર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ગોધરાના પખવાડિયા પહેલાં બનેલું નાળું પ્રથમ વરસાદે તણાયું
સોલડી ગામમાં બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટની મંજૂરી રદ્દ કરાવવા ગ્રામજનોનો મક્કમ નિર્ણય
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામમાં દેવયોગી હેલ્થકેર કંપની દ્વારા બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી અંતિમ તબક્કામાં હોવાનું જાણવા મળતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ફળદ્રુપ જમીન અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, ગ્રામજનોએ ગાંધીનગર ખાતે રજૂઆત કરી આ પ્લાન્ટને કોઈપણ સંજોગોમાં મંજૂરી ન આપવા અને તેને અહીં શરૂ થતો અટકાવવા માટે એકતા દર્શાવી છે. આ વિરોધમાં મહિલાઓ પણ સક્રિયપણે જોડાઈ છે.