પોલીસ પર ભરોસો કર્યો, પણ આરોપો મારા પર જ લાગ્યા: CM વિજયનું મોટું નિવેદન
પોલીસ પર ભરોસો કર્યો, પણ આરોપો મારા પર જ લાગ્યા: CM વિજયનું મોટું નિવેદન
Published on: 10th July, 2026

અભિનેતા થલપતિ વિજયની નવી પાર્ટી તમિલગા વેત્રી કઝગમ(TVK)ની રેલી દરમિયાન કરૂરમાં થયેલી નાસભાગની દુર્ઘટનામાં 41 લોકોના મોત થયા હતા. રાજ્યના મુખ્યમંત્રી બન્યા બાદ CM વિજયે આ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું કે, ‘કરૂરમાં થયેલી નાસભાગની ઘટનાથી આખા રાજ્યને દુઃખ થયું હતું, જે ક્યારેય ભૂલી શકાય નહીં.’ વિજયે પોલીસ પર આરોપ લગાવતાં કહ્યું કે, ‘મેં પોલીસ પર ભરોસો કર્યો, પરંતુ તેમણે મારા પર જ આક્ષેપો લગાવી દીધા.’ સરકારે પીડિત પરિવારોને મજબૂતીથી સાથ આપવાની ખાતરી આપી છે.