ધંધુકા શહેરમાં ડૉ. પ્રવીણભાઈ તોગડિયાના આગમન નિમિત્તે ભવ્ય સ્વાગત યાત્રા
ધંધુકા શહેરમાં ડૉ. પ્રવીણભાઈ તોગડિયાના આગમન નિમિત્તે ભવ્ય સ્વાગત યાત્રા
Published on: 28th August, 2026

અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (AHP) અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ડૉ. પ્રવીણભાઈ તોગડિયાના આગમન પર ભવ્ય સ્વાગત યાત્રા અને માર્ગદર્શન સભાનું આયોજન થયું. પુનિત મહારાજની પવિત્ર ભૂમિ પર યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા જોડાઈ. બાદમાં યોજાયેલી સભામાં ડૉ. તોગડિયાએ હિન્દુ સમાજની એકતા, સનાતન સંસ્કૃતિ અને હિન્દુ રાષ્ટ્રના સંકલ્પ પર માર્ગદર્શન આપ્યું, જેને ઉપસ્થિત લોકોએ ઉત્સાહપૂર્વક વધાવ્યું.