ગાંધીનગર કુડાસણ દુર્ઘટના બાદ હર્ષ સંઘવીએ ઘટનાસ્થળ અને હોસ્પિટલની મુલાકાત લીધી.
ગાંધીનગર કુડાસણ દુર્ઘટના બાદ હર્ષ સંઘવીએ ઘટનાસ્થળ અને હોસ્પિટલની મુલાકાત લીધી.
Published on: 10th September, 2026

ગાંધીનગરના કુડાસણ ખાતે નિર્માણાધીન બિલ્ડિંગનો સ્લેબ અચાનક ધરાશાયી થતાં 15 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ઘટનાસ્થળ અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર આપવા સૂચનાઓ આપી. તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું અને તમામ શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢી સારવાર માટે ખસેડાયા. સલામતી નિયમો અને ગુણવત્તાની ઊંડાણપૂર્વક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.