પાલનપુરમાં દિલ્હીગેટ-બારડપુરા માર્ગ પર ટ્રાફિક સમસ્યા
પાલનપુરમાં દિલ્હીગેટ-બારડપુરા માર્ગ પર ટ્રાફિક સમસ્યા
Published on: 07th August, 2026

પાલનપુરમાં દિલ્હીગેટથી બારડપુરા માર્ગ પર રિક્ષા ચાલકો દ્વારા ગેરકાયદે પાર્કિંગ અને લારીઓના દબાણને કારણે ટ્રાફિકજામની ગંભીર સમસ્યા સર્જાઈ છે. વેપારીઓએ માંગ કરી છે કે, આ પોલીસ પોઇન્ટ પર હોમગાર્ડને બદલે કાયમી પોલીસ કર્મચારીની નિમણૂક કરવામાં આવે અને લારીઓનું દબાણ દૂર કરવામાં આવે. અગાઉ લોક દરબારમાં રજૂઆત બાદ પણ પરિસ્થિતિ યથાવત રહેતા, સ્થાનિક વેપારીઓએ લેખિત રજૂઆત કરી કાયમી ટ્રાફિક કર્મચારીની માંગ કરી છે.