વડોદરાની માંજલપુર ચૂંટણીમાં ધાકધમકી, ગુંડાગીરી!
વડોદરાની માંજલપુર ચૂંટણીમાં ધાકધમકી, ગુંડાગીરી!
Published on: 01st August, 2026

માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આચારસંહિતાના ભંગ અંગે શહેર કોંગ્રેસ સમિતિએ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિત ફરિયાદ કરી છે. કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું કે, મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીના દાવા છતાં માંજલપુરમાં પૂર્વગ્રહયુક્ત ચૂંટણી યોજાઈ. મતદાનના દિવસે બહારના જિલ્લાના અસામાજિક તત્વો ખાનગી હથિયારો અને વાહનો સાથે ફરતા હતા અને મતદારોને ધાકધમકી આપતા હતા. મતદાન જાગૃતિના નામે ઢોલ-નગારા વગાડીને અને પક્ષના ચિહ્નવાળા ખેસ પહેરીને રેલીઓ કાઢીને ગુંડાગીરી કરવામાં આવી. કોંગ્રેસની રજૂઆતો છતાં અધિકારીઓએ મલાઈદાર પોસ્ટની લાલચે કાર્યવાહી ન કરી પક્ષપાત દાખવ્યો, તેથી આવા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહીની માગ કરી છે.