પોલીસે વ્યાજખોરો અને માથાભારે તત્વો પાસેથી રૂ. 5 કરોડના દાગીના-જમીનો છોડાવી મૂળ માલિકોને અપાવ્યા
પોલીસે વ્યાજખોરો અને માથાભારે તત્વો પાસેથી રૂ. 5 કરોડના દાગીના-જમીનો છોડાવી મૂળ માલિકોને અપાવ્યા
Published on: 05th August, 2026

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ, પોલીસે અનેક લોકોને ન્યાય અપાવ્યો છે. આ વર્ષે 2500 થી વધુ અરજદારોને સાંભળીને, પોલીસે 72.25 લાખ રોકડ, 150 તોલા સોના અને દોઢ કિલો ચાંદીના દાગીના, તેમજ 33 વીઘા જમીન અને 3 મકાનના દસ્તાવેજો મૂળ માલિકોને પરત અપાવ્યા છે. આ ઉપરાંત, 4 ફોરવ્હીલર, 5 ટુવીલર અને 1 ડમ્પર પણ છોડાવવામાં આવ્યા છે. આ પ્રયાસો પ્રજામાં સલામતીનો અહેસાસ જગાવી રહ્યા છે.