ખારી નદીમાં ઝેરી પાણી બંધ કરો, નહીંતર 15 ગામ ચૂંટણીનો બહિષ્કાર કરશે: આવેદન
ખારી નદીમાં ઝેરી પાણી બંધ કરો, નહીંતર 15 ગામ ચૂંટણીનો બહિષ્કાર કરશે: આવેદન
Published on: 05th August, 2026

મહેસાણા જિલ્લાની ખારી નદીમાં ફેક્ટરીઓ દ્વારા છોડવામાં આવતું કેમિકલયુક્ત પાણી અને નગરપાલિકાના ગટરના નિકાલ સામે ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. કિસાન સંઘ અને નદીકાંઠાના આગેવાનોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી પ્રદૂષણ બંધ કરવા માંગ કરી છે. જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો 15 ગામો આગામી ચૂંટણીઓનો બહિષ્કાર કરશે. છેલ્લા ચાર-પાંચ વર્ષથી નદીમાં ઔદ્યોગિક અને ગટરનું ગંદુ પાણી છોડાઈ રહ્યું છે, જેના કારણે હેડુવા, નુગર, સામેત્રા જેવા ગામોમાં દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ અસહ્ય બન્યો છે. ખેતી માટે પણ પાણી ઉપયોગી રહ્યું નથી અને ભૂગર્ભ જળ પ્રદૂષિત થવાની પણ આશંકા છે.