RBI નો મહત્વપૂર્ણ નિર્ણય: પહેલી ઓક્ટોબરથી FD ના નિયમોમાં ફેરફાર
RBI નો મહત્વપૂર્ણ નિર્ણય: પહેલી ઓક્ટોબરથી FD ના નિયમોમાં ફેરફાર
Published on: 02nd August, 2026

RBI દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટ (FD) મૂકનારા ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. પહેલી ઓક્ટોબરથી, તમામ બેન્કો માટે FD પર વ્યાજ દરના નિયમો વધુ પારદર્શક બનશે. હવે કોઈ પણ બેન્ક તેની અલગ-અલગ શાખાઓમાં એક જ સમયગાળાની FD પર જુદા જુદા વ્યાજ દર આપી શકશે નહીં. તમામ બ્રાન્ચમાં એક સમાન વ્યાજ દર લાગુ થશે. નવા નિયમો બાદ, સરકારી, ખાનગી અને પ્રાદેશિક બેન્કોએ દરેક શાખામાં સમાન ડિપોઝિટ સ્કીમ અને વ્યાજ દર જાળવવો પડશે. આનાથી ગ્રાહકો માટે પારદર્શિતા વધશે અને વ્યાજ દરોની સરખામણી સરળ બનશે.