ગુજરાત વિધાનસભામાં ત્રણ સરકારી વિધેયક રજૂ
ગુજરાત વિધાનસભામાં ત્રણ સરકારી વિધેયક રજૂ
Published on: 11th September, 2026

ગુજરાત વિધાનસભાના સત્રનો આજે અંતિમ દિવસ છે, જેમાં ત્રણ મહત્વપૂર્ણ સરકારી વિધેયક રજૂ થશે. ગૃહમાં દુષ્કાળની ગંભીર સ્થિતિ અંગે નિયમ 116 હેઠળ તાકીદની ચર્ચા યોજાશે. કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી આ મુદ્દો ઉઠાવશે. રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા રાહત પગલાં અને પશુપાલકો તથા ખેડૂતો માટેના કાર્યોની માહિતી રજૂ થશે. આ ઉપરાંત, બોર્ડ અને નિગમોના વાર્ષિક અહેવાલો ટેબલ પર મુકાશે, અને આગામી સંસદીય પ્રક્રિયા માટે પ્રસ્તાવ રજૂ થશે.