400 વર્ષ જૂના શિવાલયનો અનોખો ઇતિહાસ
400 વર્ષ જૂના શિવાલયનો અનોખો ઇતિહાસ
Published on: 15th August, 2026

રાજકોટની આજી નદીના કિનારે આવેલું 'સોમનાથ મહાદેવ મંદિર' 400 વર્ષ જૂનું છે અને 'કાચબાની જગ્યા' તરીકે ઓળખાય છે. રાજશાહી કાળમાં મનોહરસિંહજી જાડેજાના પૂર્વજોએ નિર્માણ કરાવેલું આ મંદિર શ્વેત આરસપહાણના શિવલિંગ માટે પ્રખ્યાત છે. અહીંના જીવંત કાચબાઓ ભક્તોનું આકર્ષણ છે, જેઓ 40 વર્ષથી વધુ જૂના છે. લગભગ 55 વર્ષ પહેલાં કરફ્યુ દરમિયાન ગોળી વાગવા છતાં એક કાચબો ચમત્કારિક રીતે જીવિત રહ્યો હતો. આ મંદિર 7 પેઢીથી પૂજા-અર્ચનાની પરંપરા ધરાવે છે.