રોબર્ટ કિયોસાકીની નવી પોસ્ટ વાઈરલ: ભારતીય ગુરુએ બદલી જિંદગી
રોબર્ટ કિયોસાકીની નવી પોસ્ટ વાઈરલ: ભારતીય ગુરુએ બદલી જિંદગી
Published on: 02nd July, 2026

'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકી (Robert Kiyosaki) ની એક નવી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આ પોસ્ટમાં તેમણે રોકાણ ટિપ્સને બદલે પોતાના જીવનના હેતુ વિશે વાત કરી છે. કિયોસાકીએ જણાવ્યું કે, એક ભારતીય ગુરુ (Indian Guru) ની વાતોએ તેમને હચમચાવી દીધા હતા. તેમણે કહ્યું કે, શરીરનો હેતુ આત્માના લક્ષ્યને પૂરો કરવાનો છે. તેમને પોતાના જીવનનો હેતુ લોકોને ટીચર તરીકે શીખવવાનું લાગ્યો, જે તેમને સ્કૂલ પ્રત્યેની નફરત હોવા છતાં સમજાયું.