લગ્ન બાદ પુત્રીને પિતાના સ્થાને દયાના ધોરણે નોકરીનો હક્ક: બોમ્બે હાઈકોર્ટ
લગ્ન બાદ પુત્રીને પિતાના સ્થાને દયાના ધોરણે નોકરીનો હક્ક: બોમ્બે હાઈકોર્ટ
Published on: 16th July, 2026

બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે કે, વિવાહિત પુત્રી પણ કર્મચારીના મૃત્યુ બાદ તેના પિતાના સ્થાને અનુકંપાના ધોરણે (compassionate grounds) નોકરી મેળવી શકે છે. કોર્ટે જણાવ્યું કે, માત્ર લગ્ન થઈ ગયા હોવાથી પુત્રીને નોકરીનો અધિકાર નકારવો એ લિંગભેદ (gender discrimination) છે, જે બંધારણનું ઉલ્લંઘન કરે છે. પુત્ર વિવાહિત હોય તો તેને નોકરી મળી શકે, તો પુત્રીને કેમ નહિ? આ ચુકાદો ચંદ્રપુર જિલ્લાના એક કિસ્સામાં અપાયો હતો, જ્યાં વેસ્ટર્ન કોલફિલ્ડ લિ. (વેકોલી) દ્વારા વિવાહિત પુત્રીની અરજી નકારવામાં આવી હતી.