જન્મ-મૃત્યુ નોંધણીમાં વિલંબ પર કેન્દ્ર સરકારના નવા કડક નિયમો
જન્મ-મૃત્યુ નોંધણીમાં વિલંબ પર કેન્દ્ર સરકારના નવા કડક નિયમો
Published on: 16th July, 2026

કેન્દ્ર સરકાર જન્મ અને મૃત્યુ નોંધણીના નિયમો વધુ કડક બનાવવા જઈ રહી છે. જો કોઈ વ્યક્તિના જન્મ કે મૃત્યુની જાણકારી બે વર્ષની અંદર અધિકારીઓને આપવામાં નહીં આવે, તો રજિસ્ટ્રેશન કરાવવા માટે જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આ ફેરફારનો હેતુ જન્મ-મૃત્યુના રેકોર્ડને રિયલ-ટાઇમમાં નોંધવાનો અને તેના દુરુપયોગને અટકાવવાનો છે. બે વર્ષથી વધુ વિલંબ પર રજિસ્ટ્રેશન માત્ર ફર્સ્ટ-ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના આદેશ પર જ શક્ય બનશે. સામાન્ય રીતે, જન્મ-મૃત્યુની નોંધણી 21 દિવસમાં ફરજિયાત છે.