બૃહદેશ્વર મંદિર: ચોલ સ્થાપત્ય, શૈવ અધ્યાત્મ અને ભારતીય કલાનો અદ્ભુત સંગમ
બૃહદેશ્વર મંદિર: ચોલ સ્થાપત્ય, શૈવ અધ્યાત્મ અને ભારતીય કલાનો અદ્ભુત સંગમ
Published on: 16th June, 2026

મહાન ભારતીય સંસ્કૃતિમાં 'બૃહદેશ્વર મંદિર' માત્ર એક સ્થાપત્ય નથી, પણ માનવચેતનાના ઉર્ધ્વગમનની અભિવ્યક્તિ છે. તામિલનાડુના તંજાવુર શહેરમાં સ્થિત આ ભવ્ય શિવમંદિર, જે 'બિગ ટેમ્પલ' તરીકે પણ ઓળખાય છે, તે ચોલ સામ્રાજ્યની શક્તિ, શૈવ પરંપરાની ગહનતા અને માનવ સર્જનાત્મકતાનું પ્રતિક છે. ઈ.સ. 1003 થી 1010 દરમિયાન નિર્માણ પામેલ આ મંદિર, દ્રવિડ સ્થાપત્ય શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે. તેની ભવ્યતા, કલાત્મકતા અને વૈજ્ઞાનિક આયોજન આજે પણ આશ્ચર્ય પમાડે છે.