ઈઝરાયલના હુમલાથી બેરૂતમાં ભય, હિઝબુલ્લાહે પણ રોકેટ છોડ્યા
ઈઝરાયલના હુમલાથી બેરૂતમાં ભય, હિઝબુલ્લાહે પણ રોકેટ છોડ્યા
Published on: 01st June, 2026

ઈઝરાયલે બેરૂતના દક્ષિણી ઉપનગરો પર હુમલાનો આદેશ આપ્યા બાદ લેબનોનમાં ભયનો માહોલ છે. ઈઝરાયલના વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રીએ હિઝબુલ્લાહ દ્વારા યુદ્ધવિરામના ઉલ્લંઘન અને ઈઝરાયલી નાગરિકો પરના હુમલાઓને કારણ જણાવ્યું છે. આના જવાબમાં, હિઝબુલ્લાહે ઉત્તર ઈઝરાયલ અને હાઈફા તરફ રોકેટ છોડ્યા છે. બેરૂતના હજારો લોકો જીવ બચાવવા સ્થળાંતર કરી રહ્યા છે, જેના કારણે રસ્તાઓ પર ટ્રાફિક જામ થયો છે. ઈઝરાયલી સૈનિકોએ લેબેનોનમાં 'બ્યુફોર્ટ કેસલ' પર કબજો જમાવ્યો છે, જે છેલ્લા 26 વર્ષમાં સૌથી મોટી ઘૂસણખોરી છે. ઈઝરાયલી હુમલામાં 6 લોકોના મોતનો દાવો કરવામાં આવ્યો છે. લેબેનોનના રાષ્ટ્રપતિ શાંતિ વાર્તા પર ભાર મૂકી રહ્યા છે.