ભાવનગર લઠ્ઠાકાંડમાં મધ્યપ્રદેશથી સપ્લાયર સહિત ૧૩ની ધરપકડ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મધ્યપ્રદેશથી સપ્લાયર સહિત ૧૩ની ધરપકડ
Published on: 25th August, 2026

ભાવનગર લઠ્ઠાકાંડમાં તપાસ તેજ બની છે. મધ્યપ્રદેશથી મિથેનોલ સપ્લાય કરનાર સહિત વધુ ૧૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે તમામને ૧૦ દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ૨૭ આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમ કેમિકલ સપ્લાય ચેઇનની કડી મેળવવા મધ્યપ્રદેશ જવા રવાના થઈ છે. આ ઘટનામાં ૧૩ નિર્દોષ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો સારવાર હેઠળ હતા, જેઓ હવે ડિસ્ચાર્જ થઈ ગયા છે.