મધ્ય પૂર્વમાં દર અઠવાડિયે 3 ભારતીયોના મોત, 3 વર્ષમાં 800થી વધુના જીવ ગયા
મધ્ય પૂર્વમાં દર અઠવાડિયે 3 ભારતીયોના મોત, 3 વર્ષમાં 800થી વધુના જીવ ગયા
Published on: 27th July, 2026

વિદેશમાં નોકરી માટે ગયેલા ભારતીયોના મોત અંગે ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલય (MEA) મુજબ, 2023 થી 2025 દરમિયાન 800 થી વધુ ભારતીય પ્રવાસી શ્રમિકોના વિદેશમાં કામ કરતી વખતે મોત થયા છે. આમાંથી 55% મોત ફક્ત ખાડી (Gulf) દેશોમાં થયા છે, જ્યાં દર અઠવાડિયે લગભગ 3 શ્રમિકો મૃત્યુ પામે છે. સાઉદી અરેબિયામાં 182 અને UAE માં 128 મોત સાથે આ દેશો મોખરે છે. ખરાબ રહેણી-કરણી, અતિશય તાપમાનમાં કામ, સુરક્ષા નિયમોની અવગણના અને વેતન ન મળવા જેવા કારણો આ મોત અને આત્મહત્યા પાછળ જવાબદાર છે.