IPL પછી વૈભવ સૂર્યવંશીના બેટનો પાવર ઓછો થયો? જાણો ઈન્ડિયા A માટે પ્રદર્શન.
IPL પછી વૈભવ સૂર્યવંશીના બેટનો પાવર ઓછો થયો? જાણો ઈન્ડિયા A માટે પ્રદર્શન.
Published on: 15th June, 2026

IPL 2026માં ધમાકેદાર દેખાવ બાદ ભારતીય T20 ટીમમાં સ્થાન મેળવનાર યુવા ઓપનર વૈભવ સૂર્યવંશી શ્રીલંકામાં રમાઈ રહેલી ટ્રાઈ-નેશન સિરીઝમાં ઈન્ડિયા A ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. જોકે, IPL જેવી આક્રમકતાની સરખામણીમાં તેનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. માત્ર 15 વર્ષની ઉંમરે ચર્ચામાં આવેલા વૈભવે ત્રણ ઇનિંગ્સમાં કુલ 79 રન બનાવ્યા છે, જેમાં માત્ર એક જ સિક્સરનો સમાવેશ છે. મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો છે, પરંતુ તેનો સ્ટ્રાઈક રેટ હજુ પણ પ્રભાવશાળી છે.