તૃણમૂલમાં ભંગાણથી રાજ્યસભામાં NDA બહુમતની નજીક!
તૃણમૂલમાં ભંગાણથી રાજ્યસભામાં NDA બહુમતની નજીક!
Published on: 15th June, 2026

તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં ચાલી રહેલા આંતરિક બળવાને કારણે રાજ્યસભામાં NDAના સંખ્યાબળમાં નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા છે. તાજેતરમાં યોજાયેલી રાજ્યસભા ચૂંટણીના પરિણામો NDAને બે-તૃતીયાંશ બહુમતીની નજીક લાવી શકે છે. TMCના ચાર રાજ્યસભા સાંસદોના રાજીનામા બાદ NDA ઝારખંડ અને મિઝોરમની ત્રણ બેઠકો પર જીત મેળવી શકે છે, જેનાથી ઉપલા ગૃહમાં તેનું સંખ્યાબળ 154 થઈ જશે. જો TMCના વધુ સાંસદો રાજીનામું આપે તો NDA 163નો આંકડો સ્પર્શી શકે છે, જે બંધારણીય સુધારા માટે જરૂરી છે. લોકસભામાં પણ TMCના 20 સાંસદો અલગ જૂથ બનાવી NDAને સમર્થન આપી શકે છે.