પાદરાના આચાર્ય જીગ્નેશ પંડયાને બેસ્ટ ઇન્ડિયન એચિવમેન્ટ ઍવૉર્ડ એનાયત
પાદરાના આચાર્ય જીગ્નેશ પંડયાને બેસ્ટ ઇન્ડિયન એચિવમેન્ટ ઍવૉર્ડ એનાયત
Published on: 25th June, 2026

અમદાવાદમાં ઈન્ટરનેશનલ એસ્ટ્રો ફઉન્ડેશન અને શ્રી મહર્ષિ વેદવ્યાસ એકેડમીની 25મી સિલ્વર જ્યુબિલી નિમિત્તે આયોજિત પદવીદાન સમારોહમાં, પાદરા તાલુકાના સાદરા ગામના કેન્દ્ર અધ્યક્ષ આચાર્ય જીગ્નેશભાઈ રમેશભાઈ પંડયા (બાપજી)ને જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર અને પુરોહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ સન્માનિત કરાયા. તેમને બેસ્ટ જ્યોતિષી-અધ્યાપક, બેસ્ટ વાસ્તુશાસ્ત્રી-અધ્યાપક તથા બેસ્ટ પુરોહિત્ય (કર્મકાંડી)-અધ્યાપક તરીકે પસંદ કરાયા હતા. સિલ્વર મેડલ, ટ્રોફી અને બેસ્ટ ઈન્ડિયન એચીવમેન્ટ એવોર્ડ મળતાં સાદરા ગામ અને પાદરા તાલુકામાં ખુશીનો માહોલ છે.