નર્મદાના જુનારાજ ગામનો રસ્તો એક અરજીને કારણે અટક્યો
નર્મદાના જુનારાજ ગામનો રસ્તો એક અરજીને કારણે અટક્યો
Published on: 05th August, 2026

નર્મદા જિલ્લામાં ભારે વરસાદને કારણે રાજપીપળા - જુનારાજને જોડતો મુખ્ય માર્ગ ધોવાઈ ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો છે. નાના વાહનો પણ માંડ પસાર થઈ શકે છે, જ્યારે મોટા વાહનો માટે અવરજવર બંધ છે. આરોગ્ય સેવાઓ પહોંચવામાં પણ અડચણ ઉભી થઈ છે. અધુરી કામગીરી અને એક અરજીના કારણે કામ અટકતા આ પરિસ્થિતિ સર્જાઈ છે. ધારાસભ્ય અને સાંસદે સ્થળ મુલાકાત લઈ તાત્કાલિક સમારકામની સૂચના આપી છે.