રાષ્ટ્રપતિની મંજૂરી: સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજો, કુલ સંખ્યા 37.
રાષ્ટ્રપતિની મંજૂરી: સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજો, કુલ સંખ્યા 37.
Published on: 17th May, 2026

દેશની સર્વોચ્ચ અદાલતમાં પેન્ડિંગ કેસોનો બોજ ઘટાડવા કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની માન્ય સંખ્યા 33થી વધારીને 37 કરવામાં આવી છે. અર્જુન રામ મેઘવાલે સોશિયલ મીડિયા પર આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. ‘સુપ્રીમ કોર્ટ (ન્યાયાધીશોની સંખ્યા) સુધારા વટહુકમ, 2026’ અંતર્ગત વર્ષ 1956ના કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. મુખ્ય ન્યાયાધીશને મળીને હવે સુપ્રીમ કોર્ટમાં કુલ 38 ન્યાયાધીશો હશે, જેનાથી ન્યાયિક પ્રક્રિયા વધુ ઝડપી બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.