આસામમાં પૂર, કાશ્મીરમાં ભૂસ્ખલન, અનેક રાજ્યો પ્રભાવિત
આસામમાં પૂર, કાશ્મીરમાં ભૂસ્ખલન, અનેક રાજ્યો પ્રભાવિત
Published on: 25th July, 2026

દેશના અનેક રાજ્યોમાં ચોમાસાએ ભારે કહેર વર્તાવ્યો છે. આસામ, જમ્મુ-કાશ્મીર અને નાગાલેન્ડમાં સતત વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આ કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં 77 લોકોએ જીવ ગુમાવ્યા છે અને લાખો લોકો પ્રભાવિત થયા છે. રસ્તાઓ તૂટી જવાથી, પુલોને નુકસાન પહોંચવાથી અને વીજળી તેમજ મોબાઈલ નેટવર્ક ખોરવાઈ જવાથી અનેક ગામડાંઓનો સંપર્ક તૂટી ગયો છે. આસામમાં 41, જમ્મુ-કાશ્મીરમાં 27 અને નાગાલેન્ડમાં 9 લોકોના મોત થયા છે. રાહત અને બચાવ કામગીરીમાં પણ ભારે અડચણો આવી રહી છે.