કોકરોચ જનતા પાર્ટીની તાત્કાલિક ધોરણે આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત
કોકરોચ જનતા પાર્ટીની તાત્કાલિક ધોરણે આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત
Published on: 25th July, 2026

NEET પેપર લીક મામલે એક મહિનાથી ચાલી રહેલા CJPના જંતર મંતર આંદોલનને તાત્કાલિક ધોરણે સમાપ્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારના પ્રતિનિધિઓ સાથેની બેઠક બાદ CJPના પ્રવક્તાઓએ જણાવ્યું કે, તેમની ત્રણ મુખ્ય માંગણીઓ સ્વીકારવામાં આવી છે, જેમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા, પ્રદર્શનકારીઓ સામેના FIR પાછા ખેંચવા અને NEET પીડિત પરિવારોને વળતરનો સમાવેશ થાય છે. CJPએ શરતી રીતે આંદોલન સમેટી લીધું છે અને સરકારને નિયત સમયમર્યાદામાં વચનો પૂરા કરવા અપીલ કરી છે.