સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર!
સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર!
Published on: 08th August, 2026

શ્રીલંકા સામે બે મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થાય તે પહેલાં ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ડાબોડી બેટ્સમેન સાઈ સુદર્શન પગના અંગૂઠામાં ઈજા થતાં ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. સુદર્શન બેંગલુરુ સ્થિત BCCI ના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) માં રિહેબ કરી રહ્યો હતો. તેમની ફિટનેસ ક્લિયરન્સને આધીન પસંદગી હતી, પરંતુ તેઓ ટેસ્ટ સિરીઝ માટે સંપૂર્ણપણે ફિટ થઈ શક્યો નહોતો. આ કારણે ટીમમાં ફેરફાર નક્કી છે, અને દેવદત્ત પડિક્કલને તક મળી શકે છે.