PM મોદી ગુજરાત પ્રવાસે, સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ દેશને સમર્પિત કરશે.
PM મોદી ગુજરાત પ્રવાસે, સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ દેશને સમર્પિત કરશે.
Published on: 30th March, 2026

PM મોદી આવતીકાલે ગુજરાત પ્રવાસે કોબા તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ દેશને સમર્પિત કરશે. આ મ્યુઝિયમનું નિર્માણ ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ.ફાઉન્ડેશનના સહયોગથી કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમ જૈન ધર્મની વિભૂતિ સમ્રાટ સંપ્રતિ મહારાજના જીવનને સમર્પિત છે. મ્યુઝિયમમાં 200 ઈ.સ.પૂર્વેથી આધ્યાત્મિક પરંપરાને સાત ગેલેરીઓમાં પ્રદર્શિત કરાઈ છે. આ મ્યુઝિયમ શાળાના બાળકો માટે ગૌરવશાળી પરંપરા સમજવા માટેનું સ્થળ બનશે.