ફાઈનાન્સર અડધી રાતે બળજબરીથી વાહન જપ્ત કરી શકે નહીં: સુપ્રીમ કોર્ટનો ચુકાદો
ફાઈનાન્સર અડધી રાતે બળજબરીથી વાહન જપ્ત કરી શકે નહીં: સુપ્રીમ કોર્ટનો ચુકાદો
Published on: 18th September, 2026

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ફાઈનાન્સ કંપનીઓ અને નોન-બેન્કિંગ ધિરાણ કંપનીઓ RBIના નિયમો અને પૂર્વ નોટિસની પ્રક્રિયાનું પાલન કર્યા વિના ધિરાણ હેઠળનું વાહન જપ્ત કરી શકતી નથી. લોનની વસૂલી કે વાહન જપ્તી માત્ર કાયદાકીય રીતે જ થઈ શકે છે. અડધી રાત્રે તાળું તોડીને વાહન જપ્ત કરવું એ બંધારણની કલમ ૧૪ અને ૨૧નો ભંગ છે. આ કેસમાં સુપ્રીમે ટ્રક માલિકને રૂ. ૧૦ લાખનું વળતર અપાવ્યું હતું.