કોંગ્રેસ પ્રમુખના નિવેદનના વિરોધમાં રેલી યોજાઈ.
કોંગ્રેસ પ્રમુખના નિવેદનના વિરોધમાં રેલી યોજાઈ.
Published on: 09th April, 2026

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતીઓ માટેના વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં જાંબુઘોડા તાલુકા BJP દ્વારા રેલી યોજાઈ. કાર્યકરોએ કોંગ્રેસ વિરોધી બેનરો સાથે ધરણા પ્રદર્શન કર્યું. તાલુકા BJP પ્રમુખ રણજીત બારીયા અને અન્ય કાર્યકરો જોડાયા. જિલ્લા BJP પ્રમુખ મયંકકુમાર દેસાઈએ કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતા છતી થઈ હોવાનું જણાવ્યું અને ગુજરાતની જનતાને અભણ કહેવા બદલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા.