પહલગામ હુમલાનો પાકિસ્તાની આતંકી યાસિર ઠાર, ચારેય હુમલાખોરો ખતમ!
પહલગામ હુમલાનો પાકિસ્તાની આતંકી યાસિર ઠાર, ચારેય હુમલાખોરો ખતમ!
Published on: 05th September, 2026

જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળોએ ‘ઓપરેશન અશદર’ હેઠળ મોટી કાર્યવાહી કરતા પહલગામ આતંકી હુમલા સાથે જોડાયેલા કુખ્યાત આતંકવાદી યાસિરને ઠાર કર્યો છે. બડગાંવ જિલ્લાના અશદર ગલીના દુર્ગમ પહાડી વિસ્તારમાં થયેલા ઘર્ષણમાં લશ્કર-એ-તૈયબાના આ પાકિસ્તાની આતંકવાદીનો ખાતમો થયો. સુરક્ષા એજન્સીઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુનેગારો છૂપી શકતા નથી. ઉલ્લેખનીય છે કે પહલગામ આતંકી હુમલાને અંજામ આપનારા ચારેય આતંકવાદીઓનો હવે સફાયો થઈ ગયો છે.