સમુદ્રમાં ભારતની સાઇલેન્ટ કીલર INS અરિદમન!
સમુદ્રમાં ભારતની સાઇલેન્ટ કીલર INS અરિદમન!
Published on: 03rd April, 2026

રક્ષામંત્રી રાજનાથ સિંહે ભારતીય નૌસેનામાં સ્વદેશી ટેકનોલોજીથી સજ્જ પરમાણુ સબમરીન INS અરિદમન (INS Aridaman) ને સામેલ કરી ભારતની દરિયાઈ શક્તિમાં પ્રચંડ વધારો કર્યો છે. અરિહંત શ્રેણીની આ ત્રીજી સબમરીન (SSBN) સાથે ભારત હવે જમીન, આકાશ અને સમુદ્ર ત્રણેય સ્તરે પરમાણુ હુમલો કરવાની ક્ષમતા (Nuclear Triad) ધરાવતા વિશ્વના ગણ્યાગાંઠ્યા દેશોમાં મજબૂત સ્થાન ધરાવે છે. આ સબમરીન ૩૫૦૦ કિમીની રેન્જ ધરાવતી K-4 બેલિસ્ટિક મિસાઇલ અને ૭૫૦ કિમીની ક્ષમતાવાળી સાગરિકા મિસાઇલથી સજ્જ છે, જે ભારતની 'નો-ફર્સ્ટ-યુઝ' નીતિને અભેદ્ય સુરક્ષા કવચ પૂરું પાડે છે.