માર્ગ અકસ્માત મામલે IT રિટર્નના આધારે વળતર નક્કી કરો: સુપ્રીમ કોર્ટની નવી ગાઈડલાઈન
માર્ગ અકસ્માત મામલે IT રિટર્નના આધારે વળતર નક્કી કરો: સુપ્રીમ કોર્ટની નવી ગાઈડલાઈન
Published on: 02nd July, 2026

માર્ગ અકસ્માતના વળતર સંબંધિત એક મહત્વપૂર્ણ કેસમાં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું કે મૃતક અથવા ઈજાગ્રસ્તની આવક નક્કી કરવા માટે આવકવેરા રિટર્ન (IT રિટર્ન)ને મુખ્ય આધાર માનવો જોઈએ. સાથે જ દેશભરની અદાલતો માટે નવી માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે મોટર વ્હિકલ એક્ટ હેઠળ વાર્ષિક આવક નક્કી કરવા માટે એકસરખું સૂત્ર લાગુ થઈ શકે નહીં અને પગારદાર તેમજ સ્વરોજગાર વ્યક્તિઓ માટે અલગ માપદંડ અપનાવવા જોઈએ.