ડેરિવેટિવ્ઝ ટર્નઓવર 6% ઘટયું, કેશમાં 7% વધ્યું
ડેરિવેટિવ્ઝ ટર્નઓવર 6% ઘટયું, કેશમાં 7% વધ્યું
Published on: 03rd May, 2026

સમાપ્ત થયેલા એપ્રિલમાં દેશની ઈક્વિટી માર્કેટમાં કેશ તથા ડેરિવેટિવ્સ વેપારમાં વિરોધાભાષી સ્થિતિ જોવા મળી હતી. કેશ વેપારના ટર્નઓવરમાં માસિક ધોરણે સાત ટકા વધારો જોવા મળ્યો હતો જ્યારે ડેરિવેટિવ્સના વેપારમાં સરેરાશ દૈનિક ટર્નઓવરમાં ૬ ટકા ઘટાડો જોવા મળ્યો હતો. ૧લી એપ્રિલથી સિક્યુરિટીઝ ટ્રાન્ઝકશન ટેકસ (એસટીટી)માં વધારો લાગુ થવાને પરિણામે ડેરિવેટિવ્સના ટર્નઓવર પર અસર જોવા મળી છે.