થરાદમાં ભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં જનજીવન અસ્તવ્યસ્ત
થરાદમાં ભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં જનજીવન અસ્તવ્યસ્ત
Published on: 28th July, 2026

બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે અને નબળી ડ્રેનેજ સિસ્ટમને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઘણા ઘરો અને સોસાયટીઓમાં પાણી ઘૂસી જવાથી સ્થાનિક નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જવાબદાર તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે JCB, પંપ સેટ અને સફાઈ કામદારોની ટીમો કામે લગાડવામાં આવી છે. તેમ છતાં, હજુ પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલ અને કાયમી સમાધાન માટે તંત્ર સમક્ષ માંગણી કરવામાં આવી રહી છે.