સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એન્જિનિયરિંગ, MBA, MCA પ્રવેશ મુદત ૧૪ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એન્જિનિયરિંગ, MBA, MCA પ્રવેશ મુદત ૧૪ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ
Published on: 19th August, 2026

ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા એન્જિનિયરિંગ, MBA અને MCA સહિતના ટેકનિકલ કોર્સીસમાં પ્રવેશની અંતિમ તારીખ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ૧૪ સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. અગાઉ આ મુદત ૧૪ ઓગસ્ટ હતી. આ નિર્ણયથી વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા માટે એક મહિનાનો વધુ સમય મળશે. ગુજરાતમાં પણ ACPC અને ACPDC દ્વારા ખાલી બેઠકો માટે વધુ એક રાઉન્ડ યોજવાની શક્યતા છે. D2D (લેટરલ એન્ટ્રી) પ્રવેશની મુદત પણ લંબાવવામાં આવી છે, જેનાથી હજારો વિદ્યાર્થીઓને રાહત મળશે.