વડોદરાની યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને વ્યસનમુક્ત થવા માટે મહા અભિયાન
વડોદરાની યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને વ્યસનમુક્ત થવા માટે મહા અભિયાન
Published on: 15th August, 2026

એમ.એસ.યુનિ.ના હોલ્સ ઑફ રેસિડન્સ અને બ્રહ્માકુમારી સંસ્થાના સહયોગથી 600 યુનિવર્સિટી હોસ્ટેલના વિદ્યાર્થીઓમાં નશાના દૂષણો અંગે જાગૃતિ ફેલાવવા નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાનનું આયોજન કરાયું. આ અભિયાનનો ઉદ્દેશ યુવા વિદ્યાર્થીઓને નશાના હાનિકારક પ્રભાવોથી અવગત કરાવી વ્યસનમુક્ત સમાજ નિર્માણમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો. ચીફ વોર્ડન મેજર ડૉ. વિજય પરમારે જણાવ્યું કે, નશામુક્ત જીવન જીવવા માટે પ્રતિજ્ઞા લેવડાવી, તેમને નશામુક્તિ માત્ર વ્યક્તિગત સંકલ્પ નથી, પરંતુ સમગ્ર સમાજ પ્રત્યેની જવાબદારી છે.