ભાવનગરના ઉમણિયાવદર ગામ પાસે બ્રિજની માંગ સાથે ગ્રામજનોનું ચક્કાજામ
ભાવનગરના ઉમણિયાવદર ગામ પાસે બ્રિજની માંગ સાથે ગ્રામજનોનું ચક્કાજામ
Published on: 15th August, 2026

ઉમણિયાવદર ગામ પાસે પુલની માંગણીને લઇ ગ્રામજનોએ ચક્કાજામ કર્યો. ભાવનગર-સોમનાથ હાઈવે પર પુલના અભાવે લોકો અવરજવરમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે, જેના કારણે વાહનવ્યવહારને અસર થઈ. ગંભીર અકસ્માતોના પગલે પુલની માંગણી લાંબા સમયથી કરાઈ રહી છે. વીર માંધાતા સંગઠનના નેતૃત્વમાં આંદોલન છેડાયું, જેમાં ૨૫ ગામના લોકો જોડાયા. પોલીસે રાજુ સોલંકી સહિત ગ્રામજનોની અટકાયત કરી. જ્યાં સુધી પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારાઈ. અગાઉ ચૂંટણી બહિષ્કાર બાદ હવે લોકો રસ્તા પર ઉતર્યા.