અમદાવાદમાં અસહ્ય ઘોંઘાટ: ટુ-વ્હીલર્સ 52% જવાબદાર
અમદાવાદમાં અસહ્ય ઘોંઘાટ: ટુ-વ્હીલર્સ 52% જવાબદાર
Published on: 15th August, 2026

અમદાવાદ શહેર અસહ્ય ધ્વનિ પ્રદૂષણથી બીમાર બની રહ્યું છે, જે આરોગ્ય અને ઓલિમ્પિક યજમાની માટે ચિંતાનો વિષય છે. ડૉ. અક્ષય વોરાના સંશોધન મુજબ, શહેરમાં 40 થી 82 ડેસિબલ સુધીનો ઘોંઘાટ નોંધાયો છે, જેમાં 52% હિસ્સો માત્ર ટુ-વ્હીલર્સનો છે. ઇન્કમટેક્સ ચાર રસ્તાથી શરૂ થયેલા 30 રૂટ પર 633 લોકેશન પર 400 કિલોમીટરની મુસાફરી કરીને નોઇસ મેપિંગ કરવામાં આવ્યું. પૂર્વ અમદાવાદ વધુ ઘોંઘાટવાળું હોવાનું જણાયું છે. આ વધી રહેલું પ્રદૂષણ ગર્ભસ્થ અને નવજાત શિશુઓ પર પણ ગંભીર અસર કરી શકે છે.