કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ પોરબંદર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ.
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ પોરબંદર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ.
Published on: 14th June, 2026

પોરબંદર જી.એમ.એી.આર.એસ. મેડિકલ કોલેજ ખાતે ‘વિકસિત ભારત યુવા કનેક્ટ’ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ ભાવિ તબીબો સાથે રાષ્ટ્રના સર્વાંગી વિકાસ પર સંવાદ કર્યો. તેમણે ‘અમૃતકાળ’ના 25 વર્ષમાં યુવાશક્તિના મહત્વ પર ભાર મૂક્યો. કોરોના કાળમાં ભારતે વેક્સિન વિકસાવી ગ્લોબલ ‘વેક્સિન હબ’ બન્યું તેનો ઉલ્લેખ કર્યો. ‘MY Bharat’ પોર્ટલ પર 2.20 કરોડ યુવાનો જોડાઈ ચૂક્યા છે અને 1 લાખ યુવા નેતાઓ તૈયાર કરવાનો સરકારનો લક્ષ્યાંક છે. ઓગસ્ટથી યોજાનારી ક્વિઝના વિજેતાઓને PM મોદી સાથે સંવાદની તક મળશે.