બીમાર શ્રમિકની માલિક દંપતીએ ખડેપગે ચાકરી કરી
બીમાર શ્રમિકની માલિક દંપતીએ ખડેપગે ચાકરી કરી
Published on: 03rd August, 2026

મોરબીના સિરામિક કારખાનામાં કામ કરતા ગોરધનભાઈ નાથાલાલ પ્રજાપતિને ગંભીર ઈજા થતાં કારખાનેદાર જગદીશભાઈ અને સાધનાબેન ઘોડાસરાએ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા. દંપતીએ સારવારનો લગભગ ૧૦ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો અને એક મહિના સુધી હોસ્પિટલમાં રહી પરિવારના સભ્યની જેમ તેમની નિષ્ઠાપૂર્વક સેવા કરી. ડોક્ટરોએ પણ કારખાનેદારના માનવતાવાદી અભિગમની નોંધ લીધી. શ્રમિક સ્વસ્થ થયા બાદ પણ માલિકે તેમને ઘરે બેઠા પગાર આપવાની ઓફર કરી હતી, પરંતુ શ્રમિકે મહેનત કરીને કમાવાની ઈચ્છા વ્યક્ત કરી.