થરાદના લાલપુરા ગામે ચાંદીપુરા વાયરસના કહેરથી 4 વર્ષીય બાળકીનું મોત
થરાદના લાલપુરા ગામે ચાંદીપુરા વાયરસના કહેરથી 4 વર્ષીય બાળકીનું મોત
Published on: 01st August, 2026

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી નાના બાળકોના મૃત્યુના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, જેના પગલે આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. વાવ તાલુકાના લાલપુરા ગામે 4 વર્ષીય બાળકી મીના સુરેશભાઈ ફૂલવાદીનું વધુ તાવ, ખેંચ અને બેભાન અવસ્થા બાદ ધારપુર સિવિલમાં મોત થયું. આ ઘટના બાદ આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં ત્રણ દિવસનો સર્વે, દવાનો છંટકાવ અને સ્થાનિક લોકો તથા બાળકોની તપાસ કરવામાં આવી રહી છે.