અભિજીત દીપકના માતા-પિતાની ભાવુક પ્રતિક્રિયા
અભિજીત દીપકના માતા-પિતાની ભાવુક પ્રતિક્રિયા
Published on: 26th July, 2026

કેન્દ્રના શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ અભિજીત દીપકના માતા-પિતાએ ભાવુક પ્રતિક્રિયા આપી. વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનમાં અભિજીતે ભોગવેલા સંઘર્ષને યાદ કરતાં તેમણે કહ્યું કે, હવે તેના પરિશ્રમનું સાચું ફળ મળ્યું છે. અભિજીતને મચ્છરો વચ્ચે સૂવું પડયું, ટાઈફોઈડ થયો છતાં સંઘર્ષ ચાલુ રાખ્યો. તેના પર ખોટા આરોપો લગાવાયા હતા, જે સાંભળી પરિવારને ખૂબ ખરાબ લાગતું હતું. હવે તેમની એક જ ઈચ્છા છે કે અભિજીત સલામત રીતે ઘરે પાછો આવે.