RE-NEET પરીક્ષા પહેલા તણાવમુક્ત રહો: માનસિક શાંતિ જ જીત અપાવશે
RE-NEET પરીક્ષા પહેલા તણાવમુક્ત રહો: માનસિક શાંતિ જ જીત અપાવશે
Published on: 20th June, 2026

RE-NEET પરીક્ષા 21 જૂને યોજાશે, જે 22 લાખ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ છે. પેપરલીક બાદ થયેલા તણાવ અને કેટલાક વિદ્યાર્થીઓએ લીધેલા કડક પગલાં અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સાયકોલોજિસ્ટ ડો. પ્રશાંત ભીમાણીએ તણાવમુક્ત રહી પરીક્ષા આપવા માટે ખાસ ટીપ્સ આપી છે. તેઓ જણાવે છે કે, વિદ્યાર્થીઓએ પોતાની જાત પર વિશ્વાસ રાખવો જોઈએ અને માનવું જોઈએ કે 'જે પણ થશે તે વધારે સારા માટે થશે'. આ પરીક્ષા જીવનનો અંત નથી, પરંતુ કારકિર્દીનો એક પડાવ છે.